BRICS 2026:અમેરિકાના પ્રભાવ હેઠળ વૈશ્વિક વ્યવસ્થામાં BRICS માધ્યમથી દબદબો વધારવા પ્રયત્ન કરી રહેલું ચીન હવે ગલવાનની ખટાસને દૂર કરી ભારત સાથે સંબંધોને સુધારવા માટે પ્રયત્નશીલ થતું હોય તેમ જણાય છે.
પ્રથમ વખત ચીને ભારત સાથે સરહદી વિવાદનો ઉકેલ મેળવવા માટે ગંભીરતા દર્શાવી છે. ચીનના મીડિયા ભારત-ચીન જુગલજોડીના વૈશ્વિક પ્રભાવની વાત કરી રહ્યા છે.સાત વર્ષ બાદ થઈ રહેલી રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રાને સફળ બનાવવા અને ભારત સાથે સંબંધોને મજબૂત કરવા માટે ચીન શક્ય એટલા તમામ પ્રયત્ન કરી રહ્યું છે.
બ્રિક્સની ભારત-ચીનના સંબંધોને સુધારવાની જરૂરિયાત બનાવતા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાના આ તબક્કામાં મહત્વના છે.
આ ગ્લોબલ સાઉથના અવાજને બુલંદ કરવા સાથે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં મદદરૂપ થઈ શકે છે. એક પગલું આગળ વધતા ગ્લોબલ ટાઈમ્સ લખે છે કે જો ભારત અને ચીન એક સ્વરમાં બોલે તો દુનિયાએ સાંભળવું પડશે. જિનપિંગ સાથે આવેલા પ્રતિનિધિ મંડળ પણ ભારત
તેમાં શી જિનપિંગના જમણા હાથ, કાઈ ક્વિ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC) સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને CPC સેન્ટ્રલ કમિટીના જનરલ ઓફિસના ડિરેક્ટરનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળમાં CPC સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને વિદેશ મંત્રી વાંગ યી પણ છે.
