Cancer Last Stage: કેન્સર થયાની જાણ છેલ્લા સ્ટેજમાં જ કેમ વધુ થાય છે? જાણો શું કહે છે ડોક્ટર

સામાન્ય રીતે કેન્સરના લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે, જેના કારણે લોકો તેને અવગણતા રહે છે. જો કોઈ પણ લક્ષણ લાંબા સમય સુધી રહે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 05 Sep 2025 03:47 PM (IST)Updated: Fri 05 Sep 2025 03:47 PM (IST)
why-is-cancer-often-diagnosed-at-the-last-stage-597895

Reasons For Last Cancer Detection: કેન્સર એક એવી બીમારી છે, જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે. સામાન્ય રીતે લોકો માને છે કે એકવાર કેન્સર થાય તો સાજા થવું લગભગ અશક્ય છે, તેથી લોકો કેન્સરને સીધું મૃત્યુ સાથે જોડવામાં આવે છે. આંકડા પણ દર્શાવે છે કે દર વર્ષે ઘણા લોકો કેન્સરથી જીવ ગુમાવે છે અને આ આંકડો વધી રહ્યો છે.

જોકે તમે એ પણ સાંભળ્યું હશે કે જો કેન્સરની જાણ શરૂઆતી તબક્કામાં થઈ જાય તો સાજા થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. પરંતુ મોટાભાગે કેન્સરની જાણ એકદમ છેલ્લા તબક્કા દરમિયાન જ થાય છે, જ્યારે સ્થિતિ ઘણી હદ સુધી બગડી ગયેલી હોય છે. આની પાછળનું કારણ શું છે તે અંગે અમદાવાદમાં કેન્સર હીલર સેન્ટરના એમડી કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરંગ કૃષ્ણાએ વિશે રસપ્રદ માહિતી શેર કરી છે.

છેલ્લા તબક્કામાં જ કેન્સરની જાણ શા માટે થાય છે?

ડોક્ટર તરંગ કૃષ્ણા કહે છે કે મોટાભાગના લોકોમાં કેન્સરની જાણ એકદમ છેલ્લા તબક્કામાં થાય છે, જ્યારે પરિસ્થિતિ ઘણી હદ સુધી બગડી ગયેલી હોય છે. વાસ્તવમાં એવું નથી કે કેન્સર સીધું છેલ્લા તબક્કામાં જ શરીર પર હુમલો કરે છે. પ્રારંભિક તબક્કામાં કેન્સરના ઘણા લક્ષણો દેખાય છે. પરંતુ ઘણીવાર આપણે અથવા ડોકટરો પણ તેને સામાન્ય માનીને સામાન્ય સારવાર કરતા રહે છે. આવા કિસ્સાઓમાં જ્યારે ધીમે ધીમે વસ્તુઓ ખૂબ વધી જાય છે, ત્યારે જ ક્યાંક કેન્સરની જાણ થાય છે.

કેન્સરના સામાન્ય લક્ષણો શું છે?

ડો. તરંગ કહે છે કે સામાન્ય રીતે કેન્સરના લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે, જેના કારણે લોકો તેને અવગણતા રહે છે. પરંતુ જો કોઈ સમસ્યા લાંબા સમય સુધી રહે તો તેના પ્રત્યે બેદરકારી દાખવવી જોખમી બની શકે છે. કેટલાક સામાન્ય લક્ષણોની વાત કરીએ તો અચાનક વજન ઘટવું, થાક રહેવો, લાંબા સમય સુધી દુખાવો રહેવો, ક્યાંક ગાંઠ બનવી, રૂઝ ન આવતા ઘા થવા અથવા ભૂખમાં ફેરફાર થવો. આમાંથી કોઈ પણ લક્ષણ લાંબા સમય સુધી રહે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

નિયમિત હેલ્થ ચેકઅપ જરૂરી

ડોક્ટર કહે છે કે કેન્સર કે કોઈ પણ રોગની સમયસર જાણ થાય અને યોગ્ય સારવાર કરી શકાય. તે માટે જરૂરી છે કે તમે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહો. આ ઉપરાંત કેન્સરનું કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ PET CT સ્કેન કરાવવું જોઈએ. કેન્સરના કિસ્સામાં અર્લી ડિટેક્શન એટલે કે સમયસર રોગની ઓળખ થવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.