Ganesh Chaturthi 2024: ગણેશોત્સવ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે, જેને ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) કહેવામાં આવે છે. આ દિવસથી 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી લોકો ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરીને તેમની પૂજા કરે છે. આ દરમિયાન બાપ્પાની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ગણપતિ બાપ્પાને લાડુ (Ganesh Chaturthi Bhog) ખૂબ જ પસંદ છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે મોતીચુરના લાડુ બનાવવાની સરળ રેસીપી.
મોતીચુરના લાડુ બનાવવા માટેની સામગ્રી
બૂંદી માટે
- 1 કપ ચણાનો લોટ
- 1/2 કપ પાણી
- તળવા માટે દેશી ઘી
આ પણ વાંચો - Atta Modak Recipe: બાપ્પાને પ્રસન્ન કરવા માટે પ્રસાદમાં બનાવો તેમના મનપંસદ મોદક, જાણો સરળ રેસીપી
ચાસણી માટે
- 1 કપ ખાંડ
- 1/2 કપ પાણી
- 1/4 ચમચી એલચી પાવડર
મોતીચુરના લાડુ બનાવવાની રીત
બુંદી બનાવવાની રીત
- ચણાનો લોટ અને પાણીને સારી રીતે મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવી લો.
- એક પેનમાં તેલ ગરમ કરીને દેશી ઘીમાં ખીરું નાખીને જાળી કે ચમચી વડે નાના કાણાં પાડી બૂંદી બનાવી લો.
- બૂંદીને સોનેરી થાય ત્યાં સુધી તળો અને પ્લેટમાં કાઢી લો.
ચાસણી બનાવવાની રીત
- એક પેનમાં ખાંડ અને પાણી નાખી ગેસ પર મૂકો.
- ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય પછી તેમાં એલચી પાવડર નાખીને એક તારની ચાસણી બનાવી લો.
આ પણ વાંચો - Ganesh Chaturthi Recipe: આ વખતે ગણેશ ચતુર્થી પર પ્રસાદમાં બનાવો સુગર ફ્રી મોદક, જાણો સરળ રેસીપી
લાડુ બનાવવાની રીત
- તળેલી બૂંદીને ચાસણીમાં નાખીને બરાબર મિક્સ કરી લો.
- ગેસ બંધ કરી દો અને જ્યાં સુધી બુંદીમાં બધી ચાસણી શોષાઈ ન જાય ત્યાં સુધી મિશ્રણને હલાવતા રહો.
- જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે હાથ પર થોડું ઘી લગાવી નાના-નાના લાડુ બનાવી લો.
લાડુ બનાવતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
- ધ્યાન રાખો કે, બૂંદીને તળતી વખતે તેનો રંગ વધુ ઘેરો ન થઈ જાય.
- ચાસણીની યોગ્ય જાડાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- ચાસણી બહુ પાતળી હશે તો લાડુ તૂટી જશે અને જો વધારે જાડી હશે તો લાડુ કડક થઈ જશે.
- લાડુ બનાવતા પહેલા હાથ પર થોડું ઘી લગાવો. જેથી લાડુ સરળતાથી બની જાય.
