PM Modi Letter to Sunita Williams: સુનિતા વિલિયમ્સના 9 મહિનાના સમય બાદ ધરતી પર પગ મુક્યો છે. તેમના સફળ ઉતરાણનો જશ્ન મનાવાઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે.
પીએમ મોદીએ સુનિતા વિલિયમ્સને પત્ર લખ્યો
આ પણ વાંચો
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલો તેમના સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યો છે. આ પત્ર 1 માર્ચના રોજ નાસાના પૂર્વ અવકાશયાત્રી માઈક મેસિમિનોને મોકલવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.
સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું કે ભલે તમે અમારાથી હજારો મીલ દુર છો, પરંતુ અમારા હૃદયની નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને તમારા મિશનમાં સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે તમારી વાપસી સાથે અમે તમને ભારતમાં મળવા માટે ઉત્સાહિત છીએ. ભારત માટે તેની સૌથી શાનદાર દીકરીઓમાંની એક દીકરીની યજમાની કરવી અમારા માટે આનંદની વાત હશે.
As the whole world waits, with abated breath, for the safe return of Sunita Williams, this is how PM Sh @narendramodi expressed his concern for this daughter of India.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 18, 2025
“Even though you are thousands of miles away, you remain close to our hearts,” says PM Sh Narendra Modi’s… pic.twitter.com/MpsEyxAOU9
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 1.4 અબજ ભારતીયોને તમારા પર ગર્વ છે. પત્રમાં પીએમ મોદીએ 2016 માં સુનિતા વિલિયમ્સ અને તેમના પિતા દીપક પંડ્યા સાથે કરેલી મુલાકાતને યાદ કરી હતી.
