Sushila Karki Family Tree: જેણે વિમાન હાઈજેક કર્યું તેની સાથે જ લગ્ન કર્યા… જાણો નેપાળના પ્રથમ મહિલા ન્યાયાધીશ અને વડાપ્રધાન એવા સુશીલા કાર્કીના પરિવારમાં કોણ છે

સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડાપ્રધાન બન્યા છે. નેપાળમાં જન્મેલા સુશીલા કાર્કી ઉચ્ચ શિક્ષણ માટે ભારત આવ્યા હતા. ચાલો જાણીએ તેમના પરિવાર વિશે...

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 15 Sep 2025 05:13 PM (IST)Updated: Mon, 15 Sep 2025 05:13 PM (IST)
nepal-new-prime-minister-sushila-karki-family-tree

Sushila Karki Family Tree: સુશીલા કાર્કીને નેપાળમાં વચગાળાના વડાપ્રધાન બન્યા છે. નેપાળી Gen Z એ લોકશાહી જાળવી રાખવા અને નવા સિરેથી ચૂંટણી કરાવવાની જવાબદારી તે મહિલાને સોંપી છે, જેમના પર ક્યારેક આખા નેપાળની ન્યાય વ્યવસ્થાની જવાબદારી હતી. નેપાળ ફરી એકવાર તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે. ચાલો જાણીએ સુશીલા કાર્કી અને તેમના પરિવાર વિશે…

સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટા

સુશીલા કાર્કીનો જન્મ 1952 માં નેપાળના શંકરપુરના એક ખેડૂત પરિવારમાં થયો હતો અને તેઓ સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટા સંતાન છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત શિક્ષિકા તરીકે કરી હતી. 1978 માં નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી તેમણે 1979 માં વિરાટનગરમાં પોતાની વકીલાત શરૂ કરી. ત્યારબાદ તેઓ વરિષ્ઠ વકીલ બન્યા. પછી તેમને સુપ્રીમ કોર્ટમાં એડ-હૉક જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ કાયમી જસ્ટિસ બન્યા.

સુપ્રીમ કોર્ટમાં પહેલા મહિલા ન્યાયાધીશ

2016 માં સુશીલા કાર્કી નેપાળી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. આ ઘટના ઐતિહાસિક હતી, કારણ કે નેપાળમાં આવું કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યા અને અત્યાર સુધીમાં આવું કરનાર તેઓ એકમાત્ર મહિલા છે. એપ્રિલ 2016 માં તેમને સુપ્રીમ કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા અને પછી તે જ વર્ષે તેઓ નેપાળી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા.

naidunia_image

સુશીલા કાર્કી સામે મહાભિયોગનો પ્રયાસ

સુશીલા કાર્કીએ સુપ્રીમ કોર્ટમાં રહીને અનેક કડક નિર્ણયો આપ્યા અને તેમની છબી એક સુધારાવાદી વ્યક્તિ તરીકેની બની. 2012 માં તેમણે ભ્રષ્ટાચારના આરોપોમાં એક મંત્રીને જેલમાં મોકલી દીધા, જેનાથી જય પ્રકાશ ગુપ્તા નેપાળમાં ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં જનારા પ્રથમ મંત્રી બન્યા. જોકે 2017 માં તેમનો સમય મુશ્કેલ સાબિત થયો. તે સમયે સરકારનું નેતૃત્વ કરી રહેલી નેપાળી કોંગ્રેસે પોતાની સંસદીય શક્તિનો ઉપયોગ કરીને તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો, જેના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા.

મહાભિયોગ પ્રસ્તાવમાં તેમના પર પક્ષપાત કરવા અને કાર્યપાલિકાની સત્તાઓમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ખાસ કરીને પોલીસ વડાની નિમણૂક સંબંધિત વિવાદમાં. જોકે જનતાના દબાણને કારણે કાર્કી વિરુદ્ધનો મહાભિયોગ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

naidunia_image

સુશીલા કાર્કી પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ

સુશીલા કાર્કી પણ રાજકીય ભ્રષ્ટાચારના આરોપોથી બાકાત રહ્યા નથી. તેમના પર આરોપ લાગ્યો હતો કે તેમણે મુખ્ય ન્યાયાધીશ તરીકે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા ન્યાયાધીશોની નિમણૂક પર ભાર મૂક્યો. જોકે, પાછળથી તેમણે કેટલાક એવા મંત્રીઓનો પર્દાફાશ કર્યો, જેમણે કથિત રીતે તેમના પર પોતાના સંબંધીઓને ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરવા દબાણ કર્યું હતું. એક ઐતિહાસિક નિર્ણય આપતા એકવાર સુશીલા કાર્કીની અધ્યક્ષતાવાળી બેન્ચે બંધારણીય ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાના વડા તરીકે લોકમાન સિંહ કાર્કીની નિમણૂકને રદ કરી દીધી હતી.

દુર્ગા સુબેદી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુર્ગા સુબેદી સુબેદી સાથે તેમની મુલાકાત બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં થઈ હતી. નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરતા પહેલા 1975 માં તેમણે વારાણસીની BHU માંથી રાજનીતિ વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.

naidunia_image

પતિએ વિમાન હાઈજેક કર્યું

વર્ષ 1973 માં નેપાળના 'પંચાયત શાસન' દરમિયાન લોકશાહીની વાપસી માટે પ્રયાસો ચાલી રહ્યા હતા. જીપી કોઇરાલા તેના માટે સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યા હતા અને તેમને હથિયારો ખરીદવા માટે પૈસાની જરૂર હતી. આ જ વર્ષે જૂન મહિનામાં નેપાળ એરલાઇન્સનું એક વિમાન હાઇજેક થયું. આ વિમાન વિરાટનગરથી કાઠમંડુ સેન્ટ્રલ બેંક માટે 40 લાખ રૂપિયા લઈને જઈ રહ્યું હતું. તે વિમાનને બિહારના ફારબિસગંજમાં ઉતારવાની ફરજ પાડવામાં આવી અને આ 40 લાખ રૂપિયા જી.પી. કોઇરાલાને સોંપવામાં આવ્યા. લોકશાહી પાછી ફરી ત્યારે કોઇરાલા નેપાળના વડાપ્રધાન બન્યા. આ હાઇજેક પાછળ નેપાળી કોંગ્રેસ સાથે સંકળાયેલા ચાર લોકોના નામ સામે આવ્યા, જેમાંથી એક હતા, દુર્ગા સુબેદી. 1990 માં 'પંચાયત વ્યવસ્થા' સમાપ્ત થયા પછી અને લોકશાહીની વાપસી પછી સુશીલા કાર્કીએ આ જ દુર્ગા સુબેદી સાથે લગ્ન કર્યા.