Nepal interim PM Addresses: નેપાળના વચગાળાના વડાંપ્રધાન સુશીલા કાર્કીએ 5 માર્ચે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રને સંબોધનમાં આ જાહેરાત કરતી વખતે, વચગાળાના વડાંપ્રધાન સુશીલા કાર્કીએ કહ્યું કે નેપાળમાં GEN-Z વિરોધ પછી વધુને વધુ યુવાનો મતદાનમાં ભાગ લઈ શકે તે માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજકારણમાં યુવાનોની ભાગીદારી વધારવા માટે પણ આ પ્રકારનું પગલું જરૂરી છે.
સુશીલા કાર્કીએ કહ્યું કે હું તમામ નેપાળી બહેનો અને ભાઈઓને આગામી પ્રતિનિધિ ગૃહની ચૂંટણીઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને આવા લાયક જનપ્રતિનિધિઓને ચૂંટવા માટે આહ્વાન કરું છું.
Kathmandu | Nepal's interim PM Sushila Karki addresses the nation, says, "To find a way out of this complex situation, the government has already started preliminary work for the general election by holding the election in a free, fair and fear-free environment by March 5, after… pic.twitter.com/kBDyffBLaI
— ANI (@ANI) September 25, 2025
કાયદામાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ
પીએમ સુશીલા કાર્કીએ એક વટહુકમ દ્વારા હાલના ચૂંટણી કાયદામાં સુધારો કરીને વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને મતદાનનો અધિકાર આપ્યો છે. કાયદામાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આનાથી વિદેશમાં રહેતા નેપાળી નાગરિકો મતદાનનો અધિકાર વાપરી શકશે. GEN-Z ચળવળ દરમિયાન રાજકારણીઓના ઘરે મળેલા નાણાંની તપાસ કરવા માટે મની લોન્ડરિંગ તપાસ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.
વોટર્સ સૂચીમાં નામ ઉમેરવાની સમયસીમા વધી
GEN-Z જૂથની માંગણીને પગલે, મતદાર યાદીમાં નામ ઉમેરવાની અંતિમ તારીખ એક મહિના માટે લંબાવવામાં આવી છે. વડાંપ્રધાન સુશીલા કાર્કીએ જણાવ્યું હતું કે રાજકારણમાં યુવાનોની ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપવા માટે મતદાનની ઉંમર 18થી ઘટાડીને 16 કરવામાં આવી છે. વડાંપ્રધાનના સંબોધન પછી તરત જ, નેપાળના ચૂંટણી પંચે મતદાનની ઉંમર 16 વર્ષ નક્કી કરતી સૂચના જારી કરી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 16 વર્ષના યુવાનો હવે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તેમના સ્થાનિક ચૂંટણી કાર્યાલયોમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.
નેપાળ ચૂંટણી માટે તૈયાર
પીએમ કાર્કીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ સાથે પરામર્શ કરીને ચૂંટણી માટે જરૂરી સ્ટાફ, બજેટ, સામગ્રી, સુરક્ષા અને કાનૂની જરૂરિયાતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે GEN-Z ચળવળ દરમિયાન રાજકારણીઓના ઘરેથી મળેલા નાણાંની તપાસ કરવામાં આવશે. તેમણે મની લોન્ડરિંગ વિભાગને આમ કરવા નિર્દેશ આપ્યો છે. આ પગલાને ભ્રષ્ટાચાર સામે મજબૂત કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે.
