Rajal Barot: સિંગર રાજલ બારોટ ઉનામાં ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં કરશે પર્ફોમ, નવરાત્રિ પહેલાં ધમાકેદાર સોંગ રિલીઝ

ઉનામાં ચંદ્રકિરણ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ વિસર્જન નિમિત્તે પર્ફોમ કરવાના છે. મહત્ત્વનું છે કે, સિંગર રાજલ બારોટની સાથે સિંગર તેજલ ઠાકોર અને એક્ટ્રેસ મમતા સોની પણ હશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 05 Sep 2025 04:04 PM (IST)Updated: Fri 05 Sep 2025 04:04 PM (IST)
gujarati-singer-rajal-barot-to-perform-at-ganesh-visarjan-in-una-release-new-song-before-navratri-597913
HIGHLIGHTS
  • આ ગણેશોત્સવમાં સિંગર રાજલ બારોટનું શ્રીગણેશજીની ભક્તિ ગીત પણ રિલીઝ થયું હતું.
  • રાજલ બારોટના સ્વરમાં મા નો ચંદરવો નામનું નોન સ્ટોપ ગરબા આલ્બમ પણ લોન્ચ થઈ ગયું છે.

Rajal Barot New Song: ગુજરાતના જાણિતા સિંગર રાજલ બારોટ છેલ્લા ઘણાં સમય પછી ફરી સક્રિય થયા છે. લગ્ન બાદ તેમણે ફરીથી સિંગિંગ પર્ફોમન્સ શરૂ કર્યા છે. જે અંતર્ગત તેઓ આગામી 6 તારીખે ઉનામાં ચંદ્રકિરણ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ વિસર્જન નિમિત્તે પર્ફોમ કરવાના છે. મહત્ત્વનું છે કે, સિંગર રાજલ બારોટની સાથે સિંગર તેજલ ઠાકોર અને એક્ટ્રેસ મમતા સોની પણ હશે.

તો આ ગણેશોત્સવમાં સિંગર રાજલ બારોટનું શ્રીગણેશજીની ભક્તિ ગીત પણ રિલીઝ થયું હતું. આ ગીત રાજેશ ભદ્રાણિયાએ લખ્યા હતા. અને ધવલ કાડિયાએ તેનું મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું. આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. મોટા ભાગના ગણેશ પંડાલમાં આ ગીત પર ભક્તો થનગનતા હતા.

હવે આગામી ગણતરીના દિવસોમાં નવરાત્રી આવી રહી છે ત્યારે રાજલ બારોટના સ્વરમાં મા નો ચંદરવો નામનું નોન સ્ટોપ ગરબા આલ્બમ પણ લોન્ચ થઈ ગયું છે. આ આલ્બમના ગરબા દેવરાજ અદ્રોજ અને ભરત રાવતે લખ્યા છે. આ આલ્બમ રિલીઝ થયા પછી લોકો તેને આવકારી રહ્યા છે.