Rajkot News: રાજકોટ એસટી વિભાગ દ્વારા લીલી પરિક્રમા માટે ખાસ બસ સેવા શરૂ, 50થી વધુ બસોની કરાઈ વ્યવસ્થા

રાજકટ એસટી વિભાગ દ્વારા એસ.ટી. ગમે ત્યારે પરિક્રમા માટે બસ મળી શકે તે પ્રકારની બસ સ્ટેન્ડ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 10 Nov 2024 02:30 PM (IST)Updated: Sun, 10 Nov 2024 02:30 PM (IST)
rajkot-st-division-starts-special-bus-service-for-lili-parikrama
HIGHLIGHTS
  • મોરબી, સુરેન્દ્રનગર સહિતના અનેક ગામોમાંથી બસની વ્યવસ્થા
  • જ્યારે પણ 40 થી 50 મુસાફરો હોય ત્યારે બસ રવાના કરવામાં આવશે

Rajkot News: દિવાળીના તહેવારો દરમિયાન લોકો દ્વારા STને સલામત સવારી ગણવામાં આવે છે. બસનો ઘણો ઉપયોગ થતો હતો. જેમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનને લાખો રૂપિયાની કમાણી થઈ હતી. હવે જૂનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થઈ છે. આ પરિક્રમા માટે જવા માટે શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 50 થી વધુ એસ.ટી. બસ દોડાવવામાં આવી રહી છે.

જૂનાગઢમાં લીલી પરિક્રમાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે પરિક્રમા દરમિયાન ભક્તોની ભારે ભીડ જામે છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી લોકો લીલી પરિક્રમા કરવા જૂનાગઢ પહોંચે છે, જેથી રાજ્ય એસટી નિગમ દ્વારા વિવિધ જિલ્લાના એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજકોટ એસ.ટી. વિભાગના સત્તાધિશોના જણાવ્યા અનુસાર લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના અનેક ગામોમાંથી પરિક્રમા માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. એસ.ટી. વિભાગ દ્વારા 50 થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. એસ.ટી. વિભાગે એવી રીતે આયોજન કર્યું છે કે જ્યારે પણ 40 થી 50 મુસાફરો હોય ત્યારે બસ રવાના કરવામાં આવે. એટલે કે એસ.ટી. ગમે ત્યારે પરિક્રમા માટે બસ મળી શકે તે માટે બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવાર દરમિયાન એસ.ટી. વિભાગને રૂટીન કરતા 10 થી 15 લાખ વધુ આવક થઇ છે.