Indra Bharti Bapu: નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ અંગે ઇન્દ્રભારતી બાપુનું નિવેદન, દાંડિયા ઓછા રમજો પણ બહેનો-દીકરીઓનું ધ્યાન રાખજો

મહંત ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે નવરાત્રીના ગરબાના આયોજનોમાં વિધર્મીઓ ચાંદલા લગાવીને, હાથ પર ટેટુ બનાવીને અને નકલી આધારકાર્ડ સાથે પ્રવેશ કરી શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 02 Sep 2025 11:40 AM (IST)Updated: Tue 02 Sep 2025 11:40 AM (IST)
indra-bharti-bapus-navratri-message-take-care-of-girls-limit-dandiya-raas-garba-595970

Indra Bharti Bapu Statement On Girls Safety: આગામી નવરાત્રીના તહેવારને લઈને રાજકોટમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રીમાં દાંડિયારાસ ઓછો રમવા અને બહેનો-દીકરીઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. તેમણે વિધર્મીઓ દ્વારા ગરબાના પવિત્ર વાતાવરણને દૂષિત કરવાના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આયોજકોને સઘન તપાસ કરવા અને વિધર્મીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવા અપીલ કરી હતી. આ નિવેદનથી નવરાત્રીના પવિત્ર પર્વમાં સુરક્ષા અને પવિત્રતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

વિધર્મી તત્વોથી સાવધાન રહેવાની ચેતવણી

મહંત ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે નવરાત્રીના ગરબાના આયોજનોમાં વિધર્મીઓ ચાંદલા લગાવીને, હાથ પર ટેટુ બનાવીને અને નકલી આધારકાર્ડ સાથે પ્રવેશ કરી શકે છે. તેમણે આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આવા તત્વો ગરબાના પવિત્ર માહોલને ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. બાપુએ યુવાધનને અપીલ કરી હતી કે પહેલાં લોકો બહેનો-દીકરીઓ માટે માથાં આપી દેતા હતા, હવે માત્ર ધ્યાન રાખવાની જરૂર છે, જેથી તેઓ સુરક્ષિત રહે.

આયોજકોને સઘન તપાસ કરવા અપીલ

મહંત ઇન્દ્ર ભારતી બાપુએ ગરબાના આયોજકોને ખાસ વિનંતી કરી છે કે તેઓ ગરબાના સ્થળો પર પ્રવેશ માટે સઘન તપાસ કરે અને વિધર્મીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકે. આ નિવેદનથી નવરાત્રીના પવિત્ર પર્વમાં સુરક્ષા અને પવિત્રતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.