Banaskantha: બનાસકાંઠા જિલ્લાના આવેલા સુપ્રસિદ્ધ તિર્થધામ અંબાજી નજીક આવેલા ત્રિશુળિયા ઘાટ પર છાશવારે અકસ્માતની ઘટના સામે આવતી રહે છે, ત્યારે આજે ટ્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખાનગી લક્ઝરી બસે બે કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 37 લોકોને ઈજા પહોંચી છે, જે પૈકી 9ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છ જિલ્લાના અંજારથી 28 જેટલા માઈભક્તોને લઈને અંબાજી દર્શનાર્થે આવેલી ખાનગી લક્ઝરી બસ ત્રિશુળિયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી બે કારને ઠોકરે ચડાવી હતી.
આ પણ વાંચો
Surat: વેસુની બે સંતાનોની માતાને વડોદરાના વેપારીએ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી રૂ. 64 લાખ પડાવ્યા
આ અકસ્માતમાં બસમાં સવાર 20 મુસાફરો તેમજ કારમાં રહેલા પેસેન્જર મળીને કુલ 37 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક 108 મારફતે દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 9 ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તેઓને સઘન સારવાર માટે પાલનપુર રિફરકરવામાં આવ્યા છે.
