Morbi News: ટંકારા તાલુકાના વિરપર ગામે સમસાન પાસે આવેલ તળાવમાં અંદર બનાવેલ કોઝવે ઓળંગી સામે કાઠે રીક્ષા લેવા જતા હતા. તે દરમ્યાન કોઝવે ઓળંગતી વખતે પગ લપસતા પ્રવિણભાઇ નરશીભાઈ સનાળીયા તથા પ્રેમજીભાઈ ભગવાનજી સનાળીયાનામના વ્યક્તિ પાણીમાં ડૂબી ગઇ હતી. જે અંગેની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરતા બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.
જાણવા મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે વહેલી સવારે ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સાણંદિયા અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તળાવમાં ગરક થયા હતા. ઘટનાની જાણ ગામના સરપંચ મહેશભાઈ લિખિયાને થતા તાત્કાલીક ટંકારા પોલીસ અને ડિઝાસ્ટરને જાણ કરી મોરબી ફાયર બ્રિગેડને બોલાવતા ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ શરૂ કરી
પ્રથમ પ્રવિણભાઈ નરસીભાઈ સાણંદિયા (ઉ.વ. 45)ની લાશ મળી આવી હતી અને બાદમાં પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ નાના એવા ગામમાં એક સાથે બબ્બે લોકોના તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા વીરપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
