Junagadh News: માંગરોળમાં ચા બજાર વિસ્તારમાં દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રના મોત

માંગરોળના ચા બજાર વિસ્તારમાં એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધસી પડ્યું હતું. દાદા પોતાના પૌત્ર સાથે બાઈક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મકાનનો કાટમાળ સીધો તેમના પર પડ્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 04 Sep 2025 03:10 PM (IST)Updated: Thu 04 Sep 2025 03:10 PM (IST)
junagadh-news-grandfather-and-grandson-die-in-dilapidated-house-collapse-in-mangrol-597271

Junagadh News: જૂનાગઢના માંગરોળ જિલ્લામાં જર્જરિત મકાન ધરાશાયી થતા બે લોકોના મોત નીપજ્યાં છે. શહેરના ચા બજાર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઇ જવાથી દાદા અને પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળના ચા બજાર વિસ્તારમાં આવેલું એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધસી પડ્યું હતું. તે જ સમયે, એક દાદા પોતાના પૌત્ર સાથે બાઈક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મકાનનો કાટમાળ સીધો તેમના પર પડ્યો હતો, જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને કમનસીબે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.