Jamnagar Rain News હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લાના કાલાવડમાં 9 ઈંચ, લાલપુરમાં 7 ઈંચ, જોડિયા અને ધ્રોલમાં 6 ઈંચ,જામનગર શહેરમાં 5 ઈંચ અને જામજોધપુરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. આજના વરસાદની વાત કરીએ તો આજના સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કાલાવડમાં પોણા ત્રણ ઈંચ, લાલપુર અને જામજોધપુરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના 14 રસ્તાઓ બંધ
જામનગરમાં પડી રહેલા ભારે વરસાદના પરિણામે તમામ નદી નાળાઓ છલકાયા છે. અને ડેમ પણ ઓવરફ્લો થયા છે. ત્યારે જામનગર માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 14 રસ્તાઓ હાલ બંધ છે.
આ પણ વાંચો
બંધ રસ્તાઓ જેમાં મોરીદડ દડવી રોડ, કાલમેઘડા અનીડા રોડ, નાની વાવડી લક્ષમીપુર, લક્ષમીપુર મોટી ભગેડી નાની ભગેડી, છતર મોટીવાવડી નવાગામ, નપાણીયા ખીજડીયા મુરીલા રોડ, મુરીલા ટુ જોઈન એસ એચ, જસાપર બાવા ખાખરીયા રોડ, અમરાપર ઉભીધાર રોડ, મહીકી ભડાનેશ વરવાડા રોડ, ચુર ટુ વાનાવડ સતાપર રોડનો સમાવેશ થાય છે.
મામલતદાર, જામનગર ગ્રામ્ય/લાલપુર તથા તાલુકા વિકાસ અધિકારી, જામનગર/લાલપુર ને સસોઈ ડેમ ઓવરફલો 3 ફૂટ થયેલ હોય નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી.
મામલતદાર, કાલાવડ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી, કાલાવડને ફોફડ-2 ડેમ 70% ભરાયેલ હોય નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી.
મામલતદારતથા તાલુકા વિકાસ અધિકારી, જામનગર ગ્રામ્ય/ધ્રોલ/જોડિયાને નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી.
મામલતદાર, કાલાવડ તથા તાલુકા વિકાસ અધિકારી, કાલાવડને ફુલઝર-1 ડેમ ઓવરફલો 1.83 મીટર થયેલ હોય નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી.
ઉમિયાસાગર ડેમના 16 દરવાજા, 2.5 મીટર ખોલવામાં આવ્યા
મામલતદાર, જામજોધપુર તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી, જામજોધપુર નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી.
