'સાચા આદિવાસીનો હક કોઈ છીનવી નહીં શકે': રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 75 બોગસ આદિજાતિ પ્રમાણપત્રો રદ, વિધાનસભામાં મંત્રી નરેશ પટેલનો મોટો ખુલાસો

ગુજરાતમાં 2 વર્ષમાં 75 બોગસ આદિજાતિ પ્રમાણપત્રો રદ કરાયા. મંત્રી નરેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું કે સાચા આદિવાસીઓનો હક કોઈ છીનવી નહીં શકે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 10 Sep 2026 03:51 PM (IST)Updated: Thu, 10 Sep 2026 03:51 PM (IST)
gujarat-75-fake-tribal-certificates-cancelled-last-two-years-naresh

Fake Tribal Certificate: ગુજરાત વિધાનસભા ગૃહમાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, સાચા આદિવાસીઓનો હક કોઈ છીનવી ન લે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે.

છેલ્લા બે વર્ષમાં 75 ખોટા પ્રમાણપત્રો રદ કરાયા

જસ્ટિસ કારીયા કમિટી દ્વારા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં તા. 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 સુધી કુલ 75 જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર-2 વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી કુલ 1,776 અરજીઓમાંથી 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

બોગસ પ્રમાણ પત્ર અંગે વિભાગને જાણ કરવા તાકીદ

વધુ વિગતો આપતા મંત્રી નરેશ પટેલે કહ્યું હતું કે, યુવાનોની વર્ષોની મહેનત અને તેમની કારકિર્દી સાથે પ્રમાણપત્રો સંકળાયેલા હોવાથી તેની ખરાઈની પ્રક્રિયા અત્યંત ગંભીરતા, પારદર્શિતા અને ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવે છે.

જો ખરાઈ દરમિયાન કોઈ પ્રમાણપત્ર ખોટા હોવાનું સાબિત થાય, તો આદિજાતિ વિભાગ દ્વારા તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ નિયમો મુજબ નોકરી અથવા અન્ય મળેલા લાભો પરત ખેંચવા સહિતની જરૂરી દંડાત્મક કાર્યવાહી સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવે છે.