Narendra Modi 12 Year As PM: ગુજરાતે છેલ્લા 12 વર્ષમાં ગ્રામ વિકાસના ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યના ગામડાઓની કાયાપલટ થઈ રહી છે. જેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (મનરેગા), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, પીએમ-જનમન અને GLPC જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી છે.
PM આવાસ યોજના: 6 લાખ પરિવારોને મળ્યું સપનાનું ઘર
ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) આશીર્વાદરૂપ સાબિત થઈ છે. 30 એપ્રિલ, 2026 સુધીમાં 6.99 લાખથી વધુ આવાસોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 થી આ યોજનામાં રૂફ-કાસ્ટ લેવલે વધારાની રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત થતા હવે કુલ સહાય રૂ. 1.70 લાખ થઈ છે.
આ ઉપરાંત, મનરેગા મજૂરીના રૂ. 25,920 અને શૌચાલય માટે રૂ. 12 હજારની મદદ પણ આપવામાં આવે છે. બીજી તરફ, 'PM-JANMAN' યોજના હેઠળ અતિ પછાત આદિમ જૂથો (PVTGs) માટે રૂ. 226 કરોડથી વધુના ખર્ચે 9,151 પાકા આવાસો તૈયાર કરવામાં આવ્યા છે.
MGNREGA થકી રોજગારીનું સર્જન અને ડિજિટલ ગવર્નન્સ
ગામડાઓમાં આજીવિકા સુરક્ષા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી (મનરેગા) યોજના થકી છેલ્લા 12 વર્ષમાં 4,557 લાખ કરતાં વધુ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ યોજના હેઠળ જળ સંચય અને કૃષિ વિકાસને લગતા 19 લાખથી વધુ કામો થયા છે. પારદર્શિતા લાવવા માટે આધાર બેઝ્ડ પેમેન્ટ સિસ્ટમ (ABPS), ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ડ્રોન નિરીક્ષણ અને જીઓ ટેગિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મહિલા સશક્તિકરણ: 6 લાખથી વધુ 'લખપતિ દીદી'
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC) ના માધ્યમથી 26.25 લાખ ગ્રામીણ મહિલાઓને સાંકળીને 2.82 લાખ સ્વ-સહાય જૂથો (SHGs) ની રચના કરવામાં આવી છે. આ મહિલાઓને આર્થિક રીતે સધ્ધર કરવા રૂ. 5600 કરોડથી વધુનું બેંક લિંકેજ પૂરું પાડવામાં આવ્યું છે. વડાપ્રધાનના સંકલ્પ મુજબ આજે ગુજરાતની 6 લાખથી વધુ મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બનીને ‘લખપતિ દીદી’ બની ચૂકી છે.
વધુમાં, વડાપ્રધાનના ‘લખપતિ દીદી’ અભિયાન અંતર્ગત ગુજરાતની 6 લાખથી વધુ મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બની છે. સખી મંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને બજાર પૂરું પાડવા પ્રાદેશિક મેળાઓ, સરસ મેળા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મનો સહારો લેવાઈ રહ્યો છે. આ ઉપરાંત 300થી વધુ કેન્દ્રો પર કાર્યરત ‘મંગલમ કેન્ટીન’ બહેનોને નિયમિત આવક પૂરી પાડી રહી છે.
સ્વચ્છતા અને જળ સંચયમાં પણ અગ્રેસર ગુજરાત રાજ્ય
PM-JANMAN: આદિમ જૂથના પરિવારોને મળ્યો આશરો
વર્ષ 2023થી શરૂ કરવામાં આવેલા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) હેઠળ રાજ્યના અતિ પછાત આદિમ જૂથો (PVTGs) જેવા કે કાથોડી, કોટવાળીયા, પઢાર, સિદ્દી અને કોલ્ગા પરિવારો માટે રૂ. 226 કરોડથી વધુના ખર્ચે 9,151 પાકા આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનામાં લાભાર્થીને રૂ. 2 લાખની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
છેલ્લા 12 વર્ષના આ આંકડા દર્શાવે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સતત પ્રયાસોથી ગુજરાતના ગામડાઓ વધુ સ્વચ્છ, સ્વનિર્ભર અને આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે.
