Gandhinagar: મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી બાદ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સસ્પેન્ડ

રાજેન્દ્રકુમાર પટેલ 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી EDની કસ્ટડીમાં હોવાથી ઓલ ઇન્ડિયા સર્વિસીસ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969ના નિયમ 3(2) હેઠળ તેમને સસ્પેન્ડ કરાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Jan 2026 10:38 PM (IST)Updated: Sun, 04 Jan 2026 10:38 PM (IST)
gandhinagar-news-surendranagar-former-collector-rajendrakumar-patel-suspend-in-money-laundering-case
HIGHLIGHTS
  • 48 કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહેતા રાજ્ય સરકારનો આદેશ
  • 2015 બેચના IAS અધિકારી સામે કાયદાકીય સકંજો કસાયો

Gandhinagar: ગુજરાત કેડરના 2015 બેચના IAS અધિકારી રાજેન્દ્રકુમાર એમ. પટેલને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ દ્વારા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયા બાદ સરકાર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

ન્યૂ દિલ્હી સ્થિત HIU-3 શાખા દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ નોંધાયેલા ગુના સંદર્ભે તપાસ ચાલી રહી હતી. આ તપાસના ભાગરૂપે ગત તારીખ 02/01/2016ના રોજ રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં તેમની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગ હસ્તક હતી.

જ્યારે કોઈ સરકારી અધિકારી 48 કલાકથી વધુ સમય માટે પોલીસ અથવા કસ્ટડીમાં રહે છે, ત્યારે તેમને 'ડીમ્ડ સસ્પેન્શન' (માની લીધેલ મોકૂફી) હેઠળ મૂકવામાં આવે છે. રાજેન્દ્રકુમાર પટેલ 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી EDની કસ્ટડીમાં હોવાથી ઓલ ઇન્ડિયા સર્વિસીસ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969ના નિયમ 3(2) હેઠળ તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરાયો છે.