Gandhinagar: દહેગામમાં આઠ લોકોના મોત પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 14 Sep 2024 12:27 PM (IST)Updated: Sat, 14 Sep 2024 12:27 PM (IST)
8-died-due-to-drowning-in-meshwo-river-pm-modi-expressed-grief

Gandhinagar News: ગાંધીનગરના દહેગામમાં નાહવા જતાં આઠ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાથી લોકોના મોત થયા છે. આ સમાચાર સાંભળીને દુ:ખ થયું. આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈશ્વર દિવગંત આત્માને શાંતિ આપે એ જ મારી પ્રાર્થના.

કેવી રીતે થઈ દુર્ઘટના
આ ઘટના દહેગામ તાલુકાના વસના સોગાથી ગામમાં બની હતી. ગાંધીનગર ડેપ્યુટી એસપી ડીટી ગોહિલે જણાવ્યું કે દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ગામના 9 યુવાનો બપોરના સમયે મેશ્વો નદી પરના ડેમ પર આવ્યા હતા. તેઓ અહીં સ્નાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશની મૂર્તિ વિસર્જન માટે આવી હતી. તે 9 લોકોમાંથી એક સ્નાન કરતી વખતે ડૂબી ગયો હતો. અન્ય લોકો પણ તેને બચાવવા માટે આવ્યા હતા. ત્યારે ડૂબી જવાથી તેમના મોત થયા હતા.