સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવને એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલની ડીઝાઇનવાળા વાઘા પહેરાવાયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારના પવિત્ર દિવસે ભક્તોની અપાર ભીડ ઉમટી હતી.

By: Jagran GujaratiPublish Date: Tue, 03 Feb 2026 01:38 PM (IST)Updated: Tue, 03 Feb 2026 01:38 PM (IST)
shri-kashtabhanjandev-hanumanji-salangpur-was-decorated-with-embroidery-work-and-floral-designs-mixed-flowers

Kashtbhanjandev Temple Salangpur: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારના પવિત્ર દિવસે ભક્તોની અપાર ભીડ ઉમટી હતી. મંગળવાર અને શનિવારે હનુમાન દાદાના દર્શન માટે યુવાનો સહિત અનેક ભક્તો આવે છે, કારણ કે હનુમાનજી યુવાનોના રોલ મોડલ તરીકે ઓળખાય છે.

naidunia_image

તારીખ 13 ડિસેમ્બર 2025ના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને અત્યંત આકર્ષક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને ફૂલોની સુંદર ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓર્કિડ અને શેવંતીના મિક્સ ફૂલોનો અદભૂત શણગાર કરીને ગર્ભગૃહને ભક્તિમય વાતાવરણમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

naidunia_image

સવારે 5:30 વાગ્યે મંગળા આરતી અને 7:00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામીઓ દ્વારા ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞ શાળામાં મારુતિ યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભક્તોએ ભાગ લીધો.

naidunia_image

આ દિવસે હજારો હરિભક્તોએ દાદાના દિવ્ય દર્શન કર્યા અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કર્યો. આવા વિશેષ શણગાર અને આયોજનથી મંદિરનું વાતાવરણ ભક્તિ અને કલાના સંગમમાં ફેરવાઈ ગયું હતું.