ભુજ આવતી-જતી 7 જોડી ટ્રેનો હવે ગાંધીધામને બદલે ગોપાલપુર સ્ટેશને ઊભી રહેશે, જુઓ નવું ટાઇમ ટેબલ

પશ્ચિમ રેલવે દ્વારા દાદર-ભુજ, બાંદ્રા-ભુજ અને નમો ભારત રેપિડ રેલ સહિત 7 જોડી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે. હવે આ ટ્રેનો ગાંધીધામને બદલે ગોપાલપુર સ્ટેશને ઊભી રહેશે. જુઓ કઈ ટ્રેન ક્યારે પહોંચશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 03 Sep 2026 08:18 PM (IST)Updated: Thu, 03 Sep 2026 08:18 PM (IST)
western-railway-bhuj-trains-halt-at-gopalpur-not-gandhidham

Western Railway Update: પશ્ચિમ રેલવે દ્વારા ભુજ તરફ આવતી અને જતી સાત જોડી ટ્રેનોના રૂટ અને રોકાણમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ ટ્રેનો ગાંધીધામ સ્ટેશનને બદલે ગોપાલપુર સ્ટેશન પર ઊભી રહેશે. રેલ મંત્રાલય દ્વારા ગાંધીધામ કેબિન-ગોપાલપુર-ભુજ માર્ગ પરથી આ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

નવા સુધારેલા સમય અને લાગુ થવાની તારીખ નીચે મુજબ છે.

ટ્રેન નંબર અને નામ સ્ટેશન પર આગમન (Arrival) સ્ટેશન પરથી પ્રસ્થાન (Departure) પ્રભાવિત તારીખ (લાગુ પડવાની તારીખ)
20907 દાંતર–ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 04:30 04:45 19.09.2026
20908 ભુજ–દાંતર સુપરફાસ્ટ એક્સપ્રેસ 23:30 23:45 19.09.2026
12959 બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ (સાપ્તાહિક) 08:00 08:15 19.09.2026
12960 ભુજ–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ (સાપ્તાહિક) 18:30 18:45 21.09.2026
22903 બાંદ્રા ટર્મિનસ–ભુજ AC એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) 11:05 11:20 20.09.2026
22904 ભુજ–બાંદ્રા ટર્મિનસ AC એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) 17:00 17:15 21.09.2026
12965 બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ (સાપ્તાહિક) 03:55 04:10 22.09.2026
12966 ભુજ–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ (સાપ્તાહિક) 18:50 19:05 25.09.2026
11091 ભુજ–પુણે એક્સપ્રેસ (સાપ્તાહિક) 14:15 14:30 23.09.2026
11092 પુણે–ભુજ એક્સપ્રેસ (સાપ્તાહિક) 12:30 12:45 21.09.2026
22829 ભુજ–શાલીમાર સુપરફાસ્ટ (સાપ્તાહિક) 16:09 16:24 22.09.2026
22830 શાલીમાર–ભુજ સુપરફાસ્ટ (સાપ્તાહિક) 12:35 12:50 19.09.2026
94801 અમદાવાદ–ભુજ નમો ભારત રેપિડ રેલ 21:50 21:55 20.09.2026
94802 ભુજ–અમદાવાદ નમો ભારત રેપિડ રેલ 05:55 06:00 19.09.2026

મુસાફરો માટે મહત્વની સૂચના

સમયમાં આંશિક ફેરફાર: આ માર્ગ પરિવર્તનને કારણે આ ટ્રેનોના અન્ય કેટલાક સ્ટેશનો પરના આગમન અને પ્રસ્થાનના સમયમાં પણ થોડો ફેરફાર થયો છે.

માહિતી મેળવવાના માધ્યમ: મુસાફરી શરૂ કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ enquiry.indianrail.gov.in અથવા હેલ્પલાઇન નંબર 139 પરથી નવો સમય ચકાસી લેવો.

મુસાફરી આયોજન: કોઈપણ અસુવિધાથી બચવા માટે રેલવે પ્રશાસન મુસાફરોને સુધારેલી સમય-સારણી જાણીને જ પ્રવાસનું આયોજન કરવા અપીલ કરે છે.