Aravalli News: ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલો સુણસર ધોધ તે ચોમાસાના આગમન સાથે ફરી એકવાર જીવંત થયો છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં લગભગ 250 ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધ આસપાસના વિસ્તારને લીલોતરીથી ભરી દે છે, જે એક અદભુત નજારો ઊભો કરે છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આ કુદરતી સૌંદર્યને માણવા માટે દૂર દૂરથી આવે છે.
સુણસર ધોધ: એક નયનરમ્ય નજારો
ઉત્તર ગુજરાતમાં આવેલું સુણસર ગામ, કવિ ઉમાશંકર જોશીના વતન નજીક, પોતાના સુંદર ધોધ માટે જાણીતું છે. ભિલોડાથી 12 કિલોમીટર પશ્ચિમે આવેલું આ ગામ અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલું છે. અહીં ધરતી માતાના મંદિર પાસે આવેલો ધોધ 250 ફૂટથી વધુ ઊંચાઈથી પડે છે, જે મંત્રમુગ્ધ કરી દે તેવો નજારો બનાવે છે.
?અરવલ્લીમાં ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત
— DD News Gujarati (@DDNewsGujarati) July 6, 2025
?રાત્રી દરમિયાન વિસ્તારમાં વરસેલા ભારે વરસાદના કારણે ધોધ વહેતો થયો#Arvalli #Rain #Heavyrain #waterfall pic.twitter.com/endE1cLbNg
સુણસર ધોધનું ધાર્મિક મહત્વ
સુણસર ધોધનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ પણ છે. શ્રાવણ મહિનામાં ભૂદેવો અહીં જનોઈ બદલવા આવે છે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત ધારણ કરે છે. આદિવાસી સમાજના લોકો પણ પોતાના શુભ પ્રસંગોની શરૂઆત અહીં ધરતી માતાના આશીર્વાદ લઈને કરે છે. દર ચોમાસામાં અહીં અરવલ્લી, સાબરકાંઠા અને ગુજરાતભરમાંથી સહેલાણીઓ ધોધનો આનંદ માણવા આવે છે. યુવાનો અહીં સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી.
સુણસર કેવી રીતે પહોંચવું
સુણસર ધોધ સુધી પહોંચવા માટે ભિલોડાથી એસટી બસ અથવા પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ કરી શકાય છે. અમદાવાદથી હિંમતનગર થઈને પણ સુણસર પહોંચી શકાય છે. ચોમાસાની ઋતુમાં આ વિસ્તારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. લીલીછમ વનરાજી અને ધોધના કારણે આ સ્થળ મિની કાશ્મીર તરીકે ઓળખાય છે.
