Amreli: સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટઃ સુરક્ષાના ભાગરૂપે જાફરાબાદ અને માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ

શિયાળબેટ અને પીપાવાવ પોર્ટના દરિયામાં પણ ભરતી જોવા મળી. માછીમારોને દરિયો ના ખેડવાની સ્પષ્ટ સૂચના અપાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 May 2025 11:35 PM (IST)Updated: Sat, 24 May 2025 11:35 PM (IST)
amreli-news-current-in-saurashtra-sea-no-one-signal-at-jafarabadn-and-mangrol-port
HIGHLIGHTS
  • 1 નંબરનું સિગ્નલ દરિયામાં કરંટ અને પવન સાથે વરસાદની આગાહી સૂચવે છે

Amreli: ગુજરાતના દરિયાકાંઠે બદલાતા હવામાન અને દરિયાઈ હલચલને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જાફરાબાદ અને માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે દરિયામાં કરંટ અને પવન સાથે વરસાદની આગાહી સૂચવે છે.

જાફરાબાદ બંદર પર દરિયામાં પ્રબળ કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જાફરાબાદ ઉપરાંત શિયાળબેટ અને પીપાવાવ પોર્ટના દરિયામાં પણ ભરતી જોવા મળી રહી છે, જે સાવચેતીના પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર પણ દરિયાકાંઠે પવન સાથે વરસાદની આગાહીને પગલે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે આ સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.