LIVE BLOG

Gujarat News Live:  પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે જેલમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 01 Sep 2025 06:52 AM (IST)Updated: Mon 01 Sep 2025 12:54 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-september-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-595155

Gujarat News Today Live:  સુપ્રીમ કોર્ટે રાજકોટના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ હાઇકોર્ટના હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી અપીલની સુનાવણી બાદ આપવામાં આવ્યો છે.

1-Sep-2025, 12:54:32 PMઅનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે જેલમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે રાજકોટના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ હાઇકોર્ટના હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી અપીલની સુનાવણી બાદ આપવામાં આવ્યો છે.

1-Sep-2025, 12:03:12 PMમોરબીમાં માતા અને બે બાળકોએ ઝેર પી આપઘાતનો પ્રયાસ

મોરબીના વાછકપર ગામમાં પતિ અને પત્ની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ માતા અને બે સંતાનોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં ત્રણેયને સારવાર અર્થે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

1-Sep-2025, 09:17:57 AMજસદણમાં યુવકની હત્યાનો મામલો, 3 આરોપી ઝડપાયા, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

રાજકોટના જસદણમાં લાલજી મકવાણાની હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. વ્યાજના પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. વિરનગર-કનેસરા રોડ નજીક ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આરોપીઓ પકડાયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમયાત્રા કરવામાં આવી હતી.

1-Sep-2025, 08:14:33 AMવલસાડ: સંજાણમાં દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો, લૂંટનો પ્રયાસ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં એક દિવ્યાંગ વ્યક્તિ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બુરખો પહેરીને આવેલા અજાણ્યા વ્યક્તિએ આ હુમલો કર્યો હતો, જેમાં ચોરી અને લૂંટ કરવાનો પ્રયાસ થયો હતો.

1-Sep-2025, 06:53:05 AMવડોદરામાં ફરી દિવાળીપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પાસે કાંકરીચારો

વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. તારસાલીના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં શ્રીજીની પંડાલ પાસે અજાણ્યા તત્વો દ્વારા કાંકરીચારો કરાયો હોવાના આક્ષેપ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાતા પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું.