LIVE BLOG

Gujarat News Live:  પંમચહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા, એકનું મોત, ત્રણને સ્થાનિકોએ બચાવ્યા

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 02 Sep 2025 07:15 AM (IST)Updated: Tue 02 Sep 2025 02:36 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-02-september-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-595850

Gujarat News Today Live:  પંચમહાલ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના ઘટી છે. કાલોલના મીરાપુરી ગામ પાસે ગોમ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હતા. જેમાંથી એકનું ડૂબી જતા મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સામા કાંઠે રહેલા લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે એક મૃતદેહ બહાર કાઢ્યો હતો. બનાવ અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2-Sep-2025, 02:36:00 PMપંમચહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા, એકનું મોત

પંચમહાલ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના ઘટી છે. કાલોલના મીરાપુરી ગામ પાસે ગોમ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હતા. જેમાંથી એકનું ડૂબી જતા મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સામા કાંઠે રહેલા લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે એક મૃતદેહ બહાર કાઢ્યો હતો. બનાવ અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2-Sep-2025, 01:15:05 PMરાજકોટ ટીઆરપી ગેમ ઝોનના આરોપી સાગઠિયાને મળ્યા જામીન

રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને જામીન મળ્યા હોવાના અહેવાલ છે. સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે.

2-Sep-2025, 11:13:54 AM બહેનો-દીકરીઓનું ધ્યાન રાખજો: મહંત ઇન્દ્ર ભારતી બાપુ

રાજકોટમાં આગામી નવરાત્રીના તહેવારને લઈને રાજકોટમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નવરાત્રીમાં દાંડિયારાસ ઓછો રમજો, પરંતુ બહેનો અને દીકરીઓની સુરક્ષાનું ધ્યાન રાખજો. આ નિવેદનને કારણે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

2-Sep-2025, 08:17:17 AMગત 24 કલાકમાં 66 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ

ગઈકાલથી રાજ્યમાં વરસાદનું થોડું ઘટ્યું છે જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ગત 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ હતો જેમાં કપરાડામાં 1.8 ઇંચ, ધરમપુરમાં 1.5 ઇંચ, ઝાલોદમાં 1.3 ઇંચ, સુબીરમાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે.

2-Sep-2025, 07:16:32 AMદક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.