Chandola Demolition: ચંડોળા તળાવ પર પ્રથમ દિવસે 8500 ગેરકાયદેસર મકાનો પર ફર્યું બુલડોઝર; આજે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાશે

AMCના અધિકારીઓ જણાવ્યું કે, એક જ દિવસમાં તમામ દબાણો દૂર થઈ ગયા હોત, પરંતુ ગરમીમાં સતત હિટાચી મશીન કામગીરી કરી રહ્યું હતું જેના કારણે મશીન બગડ્યા હતા જેના કારણે સમય વેડફાયો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 21 May 2025 07:39 AM (IST)Updated: Wed, 21 May 2025 07:39 AM (IST)
chandola-demolition-bulldozers-hit-8500-illegal-houses-on-first-day-pressures-will-be-removed-today-amid-tight-police-security

Chandola Lake Demolition: અમદાવાદના ચંડોળા તળાવમાં આજે 21 મેના રોજ કેટલાક પાકા મકાન છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગઇકાલે એટલે કે, 20 મેના રોજ સવારે 6:30 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી AMC ની મશીનરીની મદદથી ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 35 જેટલા હીટાચી મશીન અને 15 જેસીબી મશીનના ઉપયોગથી એક જ દિવસમાં ચંડોળા તળાવમાં 8500 જેટલા નાના-મોટા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ચંડોળા તળાવમાં રહેલી 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરથી મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે.

naidunia_image

પ્રથમ દિવસે શું થયું

ચંડોળા તળાવ ડિમોલિશન ફૈઝ-2 ના પ્રથમ દિવસે 8500 કાચા-પાકા દબાણો દૂર કરાયા હતા. જેમાં 50 જેસીબી અને હિટાચીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ 3000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહ્યા હતા. લોકોએ 3800 આવાસ માટેના ફોર્મ પણ લીધા છે.

naidunia_image