અમદાવાદીઓ માટે ખુશખબરઃ ઈન્ટરનેશનલ ફ્લાવર શૉમાં મુલાકાતનો સમય વધારવામાં આવ્યો, હવે રાતે 9 વાગ્યા સુધી ટિકિટ મળશે

રાતના સમયમાં VIP ટિકિટ નહીં મળે. જો કે સવારે 7 થી 8માં VIP ટિકિટ મેળવવી પડશે. જ્યારે VIP મુલાકાતનો સમય સવારે 8 થી 9નો રહેશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 15 Jan 2026 08:50 PM (IST)Updated: Thu, 15 Jan 2026 08:50 PM (IST)
ahmedabad-news-timings-for-visiting-international-flower-show-have-been-extended
HIGHLIGHTS
  • વધુમાં વધુ લોકો રંગબેરંગી ફ્લાવર શૉની રંગત માણી શકે તે માટે લેવાયો નિર્ણય

Ahmedabad: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર તથા ફ્લાવર ગાર્ડન ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને શહેરીજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળતા, વધુમાં વધુ લોકો આ રંગબેરંગી ફ્લાવર શો નિહાળી શકે તે હેતુસર મુલાકાત સમય વધારવામાં આવ્યો છે.

naidunia_image

આવતીકાલે 16 જાન્યુઆરી 2026થી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે. જો કે ટિકિટ રાત્રે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જ્યારે મુલાકાતીઓએ રાત્રિના 10 વાગ્યા સુધીમાં મુલાકાત પૂર્ણ કરવાની રહેશે.

વધુમાં વધુ નાગરિકોને ફ્લાવર શોનો આનંદ મળી રહે તે હેતુસર રાતના સમયમાં VIP ટિકિટની વ્યવસ્થા નહીં મળે. જ્યારે સવારના સમયે VIP ટિકિટ વ્યવસ્થા યથાવત રહેશે. આ માટે સવારે 7 થી 8 વાગ્યા સુધી VIP ટિકિટ ઉપલબ્ધ રહેશે. તેમજ VIP મુલાકાતનો સમય સવારે 8 થી 9 વાગ્યા સુધીનો રહેશે.

naidunia_image

જણાવી દઈએ કે, આ ફ્લાવર શો દરમિયાન 12 વર્ષથી નીચેના બાળકો, સૈનિકો તેમજ વિકલાંગ વ્યક્તિઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તેમજ 12 વર્ષથી ઉપરના તમામ મુલાકાતીઓ માટે ટિકિટ ફરજિયાત રહેશે.

naidunia_image