Bhagwat Katha In Ahmedabad: અમદાવાદના બોપલમાં કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથા તારીખ 21થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ કથામાં સાંજે ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું પણ આયોજન કરાયું છેજેમાં માયાભાઈ આહીર, ભગવતી ગોસ્વામી, કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી સહિતા કલાકારો આવશે. આવો આ શ્રીમદ ભાગવત કથાના સંપૂર્ણ કાર્યક્રમ પર નજર કરીએ.
કથાના યજમાન કોણ છે?
બોપલમાં કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથાના યજમાન કાંતાબેન ભગુભાઈ પટેલ, ભગુભાઈ માણેકલાલ પટેલ, મેના-માણેક પરિવાર- બોપલ, વનમાળીદાસ પરિવાર-બોપલ છે.
કથા ક્યાં અને ક્યારે યોજાશે
બોપલમાં કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથા તારીખ 21થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાશે. કથાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી રહેશે. આ કથા શુક્તાલ તીર્થ, એસપી રીંગ રોડ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિરથી બોપલ તરફ, સ્ટર્લિંગ સિટી ક્લબની બાજુમાં, બોપલમાં યોજાશે.
કથાના કાર્યક્રમની રૂપરેખા
- 20 ડિસેમ્બરના રોજ બપોરે 3 વગ્યાથી આનંદનો ગરબો છે. રાત્રે 8 વાગ્યાથી બી.કે.એમ. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ છે.
- 21 ડિસેમ્બરના રોજ પોથીયાત્રા બપોરે 1 વાગ્યે નિકળશે. કથા પ્રારંભ 3 વાગ્યાથી થશે.
- 22 ડિસેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે સંતવાણી કાર્યક્રમ. જેમા નિરંજન પંડયા, સાધ્વી જયશ્રી માતાજી, ગોપાલ બારોટ જોડાશે.
- 23 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે ધવનકુમાર શાસ્ત્રીજીના મુખે સુંદરકાંડના પાઠ.
- 24 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે દમયંતી બરડાઈ, લાલાભાઈ ભરવાડ, દક્ષા પરમાર રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
- 25 ડિસેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે ભવ્ય ડાયરો યોજાશે. જેમા માયાભાઈ આહિર, બગવતી ગોસ્વામી આવશે.
- 27 ડિસેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે ભવ્ય લોક ડાયરો. જેમા કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી આવશે.
