ફિલ્મ ‘ધ વન’નું ‘છઠ્ઠી મૈયા’ ગીત રિલીઝ, તમન્ના ભાટિયાના ભક્તિમય અંદાજે જીત્યું દિલ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ ‘ધ વન’નું નવું ગીત ‘છઠ્ઠી મૈયા’ રિલીઝ થઈ ગયું છે. જાણો ગીત, તમન્નાના પાત્ર અને ફિલ્મની ખાસિયતો વિશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 11 Sep 2026 03:45 PM (IST)Updated: Fri, 11 Sep 2026 03:45 PM (IST)
the-one-chhathi-maiya-song-tamannaah-bhatia-sidharth-malhotra-chhath-puja-song-release

Chhathi Maiya Song release: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા સ્ટારર બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધ વન’ (The One) ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફિલ્મનું નવું આધ્યાત્મિક ગીત ‘છઠ્ઠી મૈયા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં તમન્ના ભાટિયા ભક્તિમાં લીન જોવા મળે છે. સાથે જ ગીત દ્વારા ફિલ્મની લોકકથા, રહસ્ય અને આધ્યાત્મિક દુનિયાની ઝલક પણ જોવા મળે છે.

તમન્ના ભાટિયાનો ભક્તિમય અંદાજ

‘છઠ્ઠી મૈયા’ ગીતમાં તમન્ના ભાટિયા એકદમ અલગ અને ભક્તિમય અવતારમાં નજરે પડે છે. ગીતમાં છઠ પૂજાની પરંપરા, આસ્થા અને લોકસંસ્કૃતિને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ફિલ્મની વાર્તામાં બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સાથે જોડાયેલી લોકમાન્યતાઓ તથા સંસ્કૃતિને મહત્વ આપવામાં આવ્યું છે.

ફિલ્મના ફોકલોર ફેન્ટસી વર્લ્ડ સાથે પણ આ ગીતનો ઊંડો સંબંધ જોવા મળે છે. ગીતમાં વન દેવીની રહસ્યમય અને દિવ્ય શક્તિ તરફ સંકેત કરવામાં આવ્યો છે. તમન્નાનું પાત્ર પણ ફિલ્મની આ રહસ્યમય દુનિયા સાથે જોડાયેલું છે. અગાઉ રિલીઝ થયેલા રોમેન્ટિક ગીત ‘સમઝો ના’ બાદ ‘છઠ્ઠી મૈયા’ ફિલ્મના આધ્યાત્મિક અને રહસ્યમય પાસાને વધુ મજબૂત બનાવે છે.

વિશાલ મિશ્રાએ વ્યક્ત કરી ખુશી

‘છઠ્ઠી મૈયા’ ગીતને જાણીતા સિંગર અને કમ્પોઝર વિશાલ મિશ્રાએ અવાજ આપ્યો છે અને તેને કમ્પોઝ પણ કર્યું છે. ગીત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડની પવિત્ર પરંપરાને હિન્દી સિનેમાના મોટા પડદા પર રજૂ કરવાની તક મળવી તેમના માટે સન્માનની વાત છે. તેઓ ઈચ્છે છે કે ભારતીય સંસ્કૃતિની સુંદરતા અને તેની સુગંધ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચે. આ ગીતના શબ્દો કૌશલ કિશોરે લખ્યા છે, જ્યારે ગીતની કોરિયોગ્રાફી ચિન્ની પ્રકાશે કરી છે. ગીતમાં ભક્તિ અને સિનેમેટિક ભવ્યતાનું સુંદર સંયોજન જોવા મળે છે.

ફેન્ટસી અને લોકકથાનું અનોખું મિશ્રણ

‘ધ વન’ માત્ર સામાન્ય રોમેન્ટિક કે એક્શન ફિલ્મ નથી. ફિલ્મમાં ફોકલોર, ફેન્ટસી, એડવેન્ચર, મિસ્ટ્રી, રોમાન્સ અને કોમેડી જેવા અનેક તત્વોને એકસાથે રજૂ કરવામાં આવ્યા છે. આ કારણે ફિલ્મને એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇનર તરીકે જોવામાં આવી રહી છે.

ફિલ્મની કાલ્પનિક દુનિયાને વધુ વિસ્તૃત કરવા માટે ‘ધ લેજેન્ડ ઑફ વન’ નામની કોમિક બુક પણ લોન્ચ કરવામાં આવી રહી છે. આ પહેલથી ફિલ્મની વાર્તા અને તેના પાત્રોની દુનિયાને સિનેમાની બહાર પણ દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

25 સપ્ટેમ્બરે થિયેટરોમાં આવશે ‘ધ વન’

બાલાજી મોશન પિક્ચર્સ, બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ, ટીવીએફ અને 11.11 પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્માણ શોભા કપૂર, એકતા આર કપૂર, અરુણાભ કુમાર અને નીરજ કોઠારીએ કર્યું છે. ફિલ્મની વાર્તા અરુણાભ કુમારે લખી છે અને મનુ આનંદ તેના વિઝ્યુઅલ ડિરેક્ટર છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જોડી ધરાવતી ‘ધ વન’ 25 સપ્ટેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘છઠ્ઠી મૈયા’ ગીત બાદ હવે દર્શકોમાં ફિલ્મની રહસ્યમય દુનિયા અને તેની સંપૂર્ણ વાર્તાને લઈને ઉત્સુકતા વધી છે.