Paresh Rawal Hera Pheri 3: બોલિવૂડની કોમેડી ફ્રેન્ચાઈઝ 'હેરા ફેરી' ના ત્રીજા પાર્ટની જ્યારથી જાહેરાત થઈ છે, ત્યારે આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ થોડા સમય પહેલાં આ ફ્રેન્ચાઈઝમાં બાબુ ભૈયાનો રોલ પ્લે કરતાં દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે હેરા ફેરી 3 માંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. આ સમાચાર સાંભળીને ફેન્સ ખૂબ જ નિરાશ થયા હતા. ફેન્સ તેમને આવું ન કરવાની વાત કરી હતી. ત્યારે હવે પરેશ રાવલે (Paresh Rawal) ફેન્સને મોટું સરપ્રાઇઝ આપ્યું છે અને સાથે જ જણાવ્યું છે કે, તેઓ આ ફિલ્મમાં પાછા ફરશે કે નહીં.
અભિનેતા પરેશ રાવલ છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. હેરા ફેરી ફ્રેન્ચાઈઝમાં પરેશ રાવલનું પાત્ર બાબુ ભૈયા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આજના ડિજીટલ યુગમાં તેમનું આ પાત્ર સોશિયલ મીડિયા પ મીમ્સને છવાઈ ગયું છે. અત્યાર સુધીમાં ફિલ્મના બે પાર્ટ રિલીઝ આવી ચૂક્યા છે અને હવે તેનો ત્રીજા ભાગ આવવાનો છે. હાલમાં જ પરેશ રાવલે ફિલ્મના ત્રીજા પાર્ટમાં એક્ઝિટ લઈને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે બધું સોલ્વ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
હેરા ફેરી 3 માં પરેશ રાવલની વાપસી
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, પરેશ રાવલે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તેઓએ અક્ષય કુમાર અને પ્રોડક્શન હાઉસ સાથેના બધા મુદ્દાઓ ઉકેલી લીધા છે. આ બાબતે ખુલ્લેઆમ બોલતા તેમણે કહ્યું કે 'હવે બધું બરાબર છે.' ત્યારે આ સમાચાર સાંભળીને ફેન્સ ઘણા જ ખુશ થઈ ગયા છે. હવે ફેન્સને હેરા ફેરી 3 માં ઓજી ત્રિપુટી - અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ એકસાથે જોવા મળશે.
