Parva - An Epic Tale Of Dharma: ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની હાલમાં જ ધ વેક્સીન વોર ફિલ્મ રિલીઝ થઈ છે. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ બતાવી શકી ન હતી. ત્યારે હવે વિવેક અગ્નિહોત્રી પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. 3 પાર્ટમાં બનનારી આ ફિલ્મની કહાની મહાભારત પર આધારિત હશે.
BIGGG NEWS… VIVEK AGNIHOTRI TO MAKE MAHABHARATA IN 3 PARTS FOR *BIG SCREEN*… #VivekAgnihotri will be adapting the best selling novel #Parva - written by #PadmaBhushan Dr SL Bhyrappa - for the big screen… Based on #Mahabharata, the film - titled #Parva: An Epic Tale Of Dharma -… pic.twitter.com/6C8i6MIXlV
— taran adarsh (@taran_adarsh) October 21, 2023
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું કે, 'વિવેક અગ્નિહોત્રી મોટા પડદા માટે 3 ભાગમાં મહાભારત બનાવશે… તે પદ્મભૂષણ ડૉ. એસ.એલ. ભૈરપ્પા દ્વારા લખાયેલ મહાભારત પર આધારિત બેસ્ટ સેલિંગ નવલકથા પર્વને રૂપાંતરિત કરશે. ફિલ્મનું નામ 'પર્વ: એન એપિક ટેલ ઓફ ધર્મ' હશે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત અને લેખિત ફિલ્મનું નિર્માણ પલ્લવી જોશી દ્વારા કરવામાં આવશે. પ્રકાશ બેલાવાડી સહ-લેખક હશે.'
BIG ANNOUNCEMENT:
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023
Is Mahabharat HISTORY or MYTHOLOGY?
We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’:
PARVA - AN EPIC TALE OF DHARMA.
There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’.
1/2 pic.twitter.com/BiRyClhT5c
પદ્મભૂષણ ડૉ. એસ.એલ. ભૈરપ્પાની બુક 'પર્વ' કન્નડ ભાષામાં લખવામાં આવી છે. આ સંસ્કૃત મહાકાવ્ય મહાભારતનું પુનર્કથન છે, જે પ્રમુખ પાત્રોના વ્યક્તિગત પ્રતિબિંબના માધ્યમથી વર્ણિત કરવામાં આવ્યું છે. આ નવલકથાને આધુનિક ક્લાસિકના વ્યાપક રૂપમાં વખાણવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
