Abhishek Bachchan Karisma Kapoor Breakup: કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન એક સમયે એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને તેમની સગાઈ પણ થઈ ગઈ હતી. જોકે લગ્ન પહેલા જ તેમનો સંબંધ તૂટી ગયો હતો. હાલમાં જ એક ડિરેક્ટરે કરિશ્મા અને અભિષેકના સંબંધ તૂટવા પર મોટું નિવેદન આપ્યું છે અને તેનું કારણ જણાવ્યું છે.
માતાના કારણે તૂટી કરિશ્માની સગાઈ?
જ્યારે કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની સગાઈ તૂટી હતી ત્યારે તેનું કારણ અભિનેત્રીની માતા બબીતા કપૂરને ગણાવવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે જ્યારે કરિશ્મા અને અભિષેકની સગાઈ થઈ હતી તે સમયે બચ્ચન પરિવાર આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં બબીતા કપૂર પોતાની દીકરી કરિશ્માના ભવિષ્યને લઈને ચિંતિત હતી અને તેમણે બચ્ચન પરિવાર સામે કેટલીક શરતો મૂકી હતી જે તેમને મંજૂર ન હતી.
ડિરેક્ટર-પ્રોડ્યુસર સુનીલ દર્શને અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની તૂટેલી સગાઈ વિશે વાત કરી છે. વિક્કી લાલવાણી સાથેની વાતચીતમાં સુનીલ દર્શને કહ્યું કે કપૂર પરિવારની દીકરીઓના જીવનમાં નસીબે ઘણી ઉથલપાથલ મચાવી છે. તેઓ ખુશનસીબ છે કે તેમને એવી માતા મળી છે જેણે હંમેશા તેમની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો છે, ભલે આ પ્રક્રિયામાં તેમનાથી ભૂલો થઈ હોય. બબીતા જી ભગવાન નથી. તે એક માણસ છે અને તેમનાથી ભૂલો થઈ શકે છે.
બહારની વાતો ઘરમાં સમસ્યાઓ લાવે છે...
સુનીલ દર્શને એ પણ ખુલાસો કર્યો છે કે આખરે શા માટે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરનું બ્રેકઅપ થયું હતું. તેમનું કહેવું છે કે બાહ્ય દબાણને કારણે તેમનું બ્રેકઅપ થયું હતું. ક્યારેક બહારની વાતો ઘરની અંદર સમસ્યાઓ ઉભી કરે છે અને આખી વસ્તુને બગાડી દે છે.
અભિષેક-કરિશ્મા વચ્ચે કેમિસ્ટ્રી ન હતી?
જ્યારે સુનીલ દર્શનને કરિશ્મા અને અભિષેક બચ્ચનની કેમિસ્ટ્રી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડિરેક્ટરે કહ્યું કે તેમનામાં કેમિસ્ટ્રી હતી. તમારે 'હા મૈને ભી પ્યાર કિયા થા' જોવી જોઈએ. ફિલ્મમાં તેમની કેમિસ્ટ્રી તેમના વાસ્તવિક જીવનના સંબંધને દર્શાવે છે.
