SSSU Admission 2026: વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, હવે ઘરે બેઠા કરો વિવિધ ડિપ્લોમા કોર્સ

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે દૂરવર્તી શિક્ષણ દ્વારા વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. ઇચ્છુક વિદ્યાર્થીઓ 5 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી ઘરે બેઠા સંસ્કૃત અને ભારતીય વિદ્યાઓનું જ્ઞાન મેળવી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Jul 2026 07:10 PM (IST)Updated: Sun, 05 Jul 2026 07:10 PM (IST)
gir-somnath-news-sssu-admission-2026-distance-diploma-courses-at-shree-somnath-sanskrit-university

Gir Somnath News: ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત અને NAAC દ્વારા A+ ગ્રેડ પ્રાપ્ત વેરાવળ સ્થિત 'શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી' (SSSU Admission 2026) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.


યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ દૂરવર્તી શિક્ષણ (Distance Education)ના માધ્યમથી ઘરે બેઠા જ વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી શકે તે હેતુથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

 યુનિવર્સિટીમાં 7 ડિપ્લોમા અભ્યાસક્રમો ઉપલબ્ધ

યુનિવર્સિટી દ્વારા કુલ 7 જેટલા મહત્વના ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેમાં નીચે મુજબના વિષયોનો સમાવેશ થાય છે

  • ડિપ્લોમા ઇન કર્મકાંડ
  • ડિપ્લોમા ઇન વાસ્તુશાસ્ત્ર
  • ડિપ્લોમા ઇન મંદિર વ્યવસ્થાપન
  • ડિપ્લોમા ઇન વૈદિક ગણિત
  • ડિપ્લોમા ઇન જ્યોતિષ
  • ડિપ્લોમા ઇન સંસ્કૃત લેંગ્વેજ
  • ડિપ્લોમા ઇન યોગ

અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વની તારીખો:

ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આગામી 5 ઓગસ્ટ સુધીમાં યુનિવર્સિટીના પોર્ટલ erp.sssu.ac.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અભ્યાસક્રમની વધુ વિગતો માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ www.sssu.ac.in નો સંપર્ક કરી શકો છો. આ સિવાય ફોન નંબર 02876-244532/33 પર પૂછપરછ કરી શકાય છે.

ખાસ નોંધ: યુનિવર્સિટીની જાહેરાત મુજબ, હાલમાં સ્નાતક (Graduation) અથવા અનુસ્નાતક (Post-Graduation) કક્ષામાં નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં જોડાઈ શકે છે. આ સુવિધાને કારણે વિદ્યાર્થીઓ પોતાના મુખ્ય અભ્યાસની સાથે સંસ્કૃત અને અન્ય ભારતીય વિદ્યાઓનું જ્ઞાન પણ મેળવી શકશે.