આયુષ્યમાન કાર્ડમાં કયા કયા મુખ્ય ઓપરેશન અને સારવાર મફત થાય છે? જાણો પૂરી યાદી

આયુષ્યમાન ભારત યોજના હેઠળ કયા કયા મુખ્ય ઓપરેશન અને સારવાર મફત થાય છે તે જાણો. હૃદય, પથરી, કેન્સર, ઘૂંટણ રિપ્લેસમેન્ટ સહિતની શસ્ત્રક્રિયાઓની સંપૂર્ણ માહિતી અને હેલ્પલાઇન નંબર અહીં જુઓ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 28 Jul 2026 11:27 AM (IST)Updated: Tue, 28 Jul 2026 11:27 AM (IST)
which-operations-are-free-in-ayushman-card-see-the-complete-list-of-free-treatments

Ayushman Card free operation list Gujarat: આયુષ્યમાન ભારત યોજના (PMJAY) નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક વરદાન સમાન છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારને પ્રતિ વર્ષ ₹5 લાખથી ₹10 લાખ સુધીની મફત સારવાર અને ઓપરેશનની સુવિધા મળે છે. જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે, તો તમે સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં જઈને જટિલ શસ્ત્રક્રિયાઓ વિના મૂલ્યે કરાવી શકો છો.

આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવાતા મુખ્ય ઓપરેશન અને સજર્રીઓ:

હૃદય અને વાલ્વની સારવાર:

  • હૃદય રોગ (બાયપાસ સર્જરી - CABG)
  • હૃદયના વાલ્વની સમસ્યા (વાલ્વ રિપેર / રિપ્લેસમેન્ટ)

પેટ અને પાચનતંત્રની સર્જરી:

  • પિત્તાશયની પથરી (લેપ્રોસ્કોપિક કોલેસિસ્ટોક્ટોમી)
  • એપેન્ડિક્સનું ઓપરેશન
  • હર્નિયા રિપેર સર્જરી (નાભિ, જાંઘ કે પેટની દીવાલ)
  • પ્રોસ્ટેટનું ઓપરેશન (TURP)

સ્ત્રી રોગ અને ગર્ભાશયની સર્જરી:

  • ગર્ભાશયની ગાંઠ (હિસ્ટરેક્ટોમી)
  • ગર્ભાશય / અંડાશયની ગાંઠ (ઓવેરિયન સિસ્ટ સર્જરી)
  • મહિલા નસબંધી (પરિવાર નિયોજન)

હાડકા અને સ્નાયુઓ (ઓર્થોપેડિક):

  • ઘૂંટણનો દુખાવો (ની રિપ્લેસમેન્ટ)
  • થાપાનો દુખાવો (હિપ રિપ્લેસમેન્ટ)
  • હાથ/પગનું હાડકું તૂટવું (પ્લેટ લગાવવી કે પિનિંગ)
  • કરોડરજ્જુની સમસ્યા (સ્પાઇન સર્જરી / ડિસ્ક પ્રોલેપ્સ)

કેન્સર અને ટ્યુમરની સારવાર:

  • સ્તનની ગાંઠ કે કેન્સર (માસ્ટેક્ટોમી / લમ્પેક્ટોમી)
  • વિવિધ પ્રકારના કેન્સર માટે ટ્યુમર સર્જરી

આંખ, કાન, નાક અને ગળાની સારવાર:

  • મોતિયાનું ઓપરેશન (ફેકો પદ્ધતિ)
  • ગ્લુકોમા સર્જરી
  • કાનનું ઓપરેશન (ટિમ્પેનોપ્લાસ્ટી)
  • નાકનું હાડકું વાંકુ હોવું (રાઇનોપ્લાસ્ટી)
  • કાકડા (ટોન્સિલ) / એડિનોઇડ સર્જરી

અન્ય મહત્વપૂર્ણ શસ્ત્રક્રિયાઓ:

  • મૂત્રાશયની પથરી (યુરોલોજી સર્જરી)
  • ભગંદર (ફિસ્ટુલા સર્જરી)
  • હાઇડ્રોસીલ (હાઇડ્રોસીલેક્ટોમી)
  • પુરુષ નસબંધી
  • બાળકોની જન્મજાત સમસ્યાઓ માટેની સુધારાત્મક સર્જરી
  • દાંતની સમસ્યાઓ (દાંત કાઢવા / રૂટ કેનાલ)

વધુ માહિતી અને સહાયતા ક્યાંથી મેળવવી?

જો તમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળતી સારવાર, હોસ્પિટલની યાદી કે કાર્ડ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય, તો તમે સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો:

ટોલ-ફ્રી નંબર: 14555 અથવા 104

આ ઉપરાંત, તમે તમારી નજીકની કોઈ પણ સરકારી હોસ્પિટલ અથવા આયુષ્યમાન માન્યતા પ્રાપ્ત પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને ત્યાં બેસતા 'આયુષ્યમાન મિત્ર'ને મળીને સીધી માહિતી અને માર્ગદર્શન મેળવી શકો છો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાગૃતિ માટે છે. વધુ વિગતો માટે નજીકના આયુષ્યમાન કેન્દ્રનો સંપર્ક કરવો.)