Post Office Kisan Vikas Patra:પોસ્ટ ઓફિસની એક એવી શાનદાર રોકાણ યોજના છે કે જે રોકાણકારોને તેમના રોકાણ પર શાનદાર વળતર આપે છે. આ સ્કીમનું નામ છે કિસાન વિકાસ પત્ર (Post Office KVP). પોસ્ટ ઓફિસની આ એકમાત્ર એવી સ્કીમ છે કે જે રોકાણકારોના પૈસાને ડબલ કરી આપે છે.
આ સરકારી સ્કીમનો ફાયદો કોઈ પણ લઈ શકે છે. રૂપિયા 1000ની નાની રકમથી રોકાણ કરી શકાય છે. ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ સ્કીમમાં રોકાણની મહત્તમ કોઈ મર્યાદા નથી. 18 વર્ષતી વધાર અવધિના કોઈ પણ વ્યક્તિ નજીકના પોસ્ટ ઓફિસમાં આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.
કેટલા સમયે પૈસા ઉપાડી શકાય છે
સરકાર આ યોજના અંતર્ગત 7.5 ટકાના વાર્ષિક વ્યાજ આપે છે,જે અનેક બેંકોની તુલનામાં ઘણું ઓછું છે. જો આ યોજનામાં રોકાણ બાદ તમે તમારા પૈસા ઉપાડવા જરૂરી છે તો 2 વર્ષ 6 મહિના એટલે કે 30 મહિના બાદ તમે પૈસા ઉપાડી શકો છો.
કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશે
ઈન્ડિયા પોસ્ટની માહિતી પ્રમાણે આ યોજના અંતર્ગત રોકાણની રકમ 115 મહિના એટલે કે 9 વર્ષ 7 મહિનામાં ડબલ થઈ જાય છે. ધારો કે તમે રિટાયરમેન્ટ અથવા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા 5 લાખ રોકાણ કરો છો તો 115 મહિનામાં તમારા પૈસા 5 લાખના રૂપિયા 10 લાખ થઈ જશે. આ એક સૌથી સુરક્ષિત રીત છે. જો લોકોને જોખમ વગર પૈસા ડબલ કરી આપે છે.
