Post Office MIS 2026: પોસ્ટ ઑફિસની જબરદસ્ત સ્કીમ, એકવાર રોકાણ કરવાથી દર મહિને રૂ. 9250ની નિશ્ચિત કમાણી

જો તમે ઈચ્છો તો માસિક વ્યાજને ડાયરેક્ટ પોસ્ટ ઑફિસના રીકરિંગ ડિપોઝીટ (RD) એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. જેથી તમને વ્યાજ પર પણ વ્યાજ મળશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 03 Jan 2026 04:49 PM (IST)Updated: Sat 03 Jan 2026 04:49 PM (IST)
investment-tips-in-gujarati-post-office-monthly-savings-scheme-2026-interest-rate-calculator-667406
HIGHLIGHTS
  • પોસ્ટ વિભાગની મંથલી ઈન્કમ સ્કીમમાં 7.40 ટકાનો વ્યાજદર
  • આ ગણતરી વર્તમાન વ્યાજદર પર આધારિત છે

Post Office MIS 2026: જો તમે પણ દર મહિને એક નિશ્ચિત અને સુરક્ષિત આવકનો સ્ત્રોત શોધી રહ્યા હોવ, તો ભારતીય પોસ્ટ વિભાગની મંથલી ઈન્કમ સ્કીમ તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

શેર બજારમાં રોકાણના જોખમો વચ્ચે પોસ્ટ ઑફિસના આ સ્કીમ ખાસ કરીને સીનિયર સિટીઝન અને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓ પોતાની જમા મૂડી પર કોઈ પણ જાતની ચિંતા વિના માસિક વ્યાજ મેળવવા માંગે છે.

એકવારના રોકાણમાં દર મહિને કમાણી Post Office Monthly Savings Scheme

પોસ્ટ ઑફિસની આ યોજનામાં તમારે એકસાથે પૈસા જમા કરાવવા પડે છે. જેના પર સરકાર તમને વર્તમાનમાં 7.40 ટકા વાર્ષિક દરે વ્યાજ આપે છે. ખાસ વાત એ છે કે, આ વ્યાજની ચૂકવણી તમને દર મહિને કરવામાં આવે છે. જેથી તમારા માસિક ઘર ખર્ચનો બોજ હળવો થઈ જાય છે.

આ સ્કીમમાં કમાણીનું સંપૂર્ણ ગણિત Post Office MIS 2026:


આ યોજનામાં રોકાણની મુદ્દત અને તેના થકી થતી કમાણી જોઈએ તો,

જો કે એક વાત યાદ રાખજો કે, આ ગણતરી વર્તમાન વ્યાજદર પર આધારિત છે. રોકાણની મુદ્દત 5 વર્ષની હોય છે. એટલે કે શેર બજારની ઉથલ-પાથલની તમારી આવક પર કોઈ અસર નહીં થાય.

  • સરકારની ગેરંટીઃ આ યોજનામાં રોકેલી રકમ પુરેપુરી સુરક્ષિત છે, કારણ કે તેમાં ભારત સરકારની ગેરંટી મળે છે.
  • ન્યુનત્તમ રોકાણ: જો તમે ઈચ્છો તો, માત્ર 1 હજાર રૂપિયાથી પણ પોતાનું ખાતુ શરૂ કરી શકો છો
  • નોમિનીની સુવિધા: તમે સિંગલ કે પછી 3 લોકો સાથે મળીને જૉઈન્ટમાં એકાઉન્ટ ખોલાવી શકો છે. ખાતુ ખોલાવતા સમયે કે પછી ગમે ત્યારે તમે પરિવારના કોઈ સભ્યને નોમિની બનાવી શકો છો.
  • ફંડ ટ્રાન્સફર: જો તમે ઈચ્છો તો માસિક વ્યાજને ડાયરેક્ટ પોસ્ટ ઑફિસના રીકરિંગ ડિપોઝીટ (RD) એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. જેથી તમને વ્યાજ પર પણ વ્યાજ મળશે.
  • મેચ્યોરિટી પર પુરેપુરા પૈસા: 5 વર્ષે પાકતી મુદ્દતે તમને તમારી જમા કરેલી મૂળ મૂડી પરત મળી જાય છે. મુદ્દત પુરી થયા બાદ પણ તમે આ રકમને ફરીથી બીજા 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો.

ખાતાનો પ્રકારરોકાણની મુદ્દતમાસિક વ્યાજકુલ વાર્ષિક આવક
સિંગલ એકાઉન્ટરૂ.9 લાખરૂ.5550રૂ.66000
જોઈન્ટ એકાઉન્ટરૂ.15 લાખરૂ.9550રૂ.1,11,000