Dasha Maa Ni Aarti: ચાર ચાર ધામની મા દશામાની આરતી ગુજરાતીમાં વાંચો

Dasha Maa Ni Aarti: દશામા વ્રત દરમિયાન દરરોજ કરો 'ચાર ચાર ધામની મા દશામા' ની આરતી. જાણો દશામાની આરતીનું ધાર્મિક મહત્વ અને તેનાથી થતા લાભો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 12 Aug 2026 10:44 AM (IST)Updated: Wed, 12 Aug 2026 10:44 AM (IST)
dasha-mata-vrat-2026-char-char-dham-ni-maa-dasha-maa-ni-aarti-in-gujarati

Dasha Maa Ni Aarti: ગુજરાતમાં અષાઢ વદ અમાસ (દિવાસો)ના પાવન દિવસથી સતત 10 દિવસ સુધી ચાલનારા શ્રદ્ધા પર્વ 'દશામા વ્રત'નો પ્રારંભ થઈ ગયો છે. મહિલાઓ પોતાના પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આ દિવસોમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે. દશામાના વ્રતમાં આરતીનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર માતાજીની પૂજા કે વ્રત કથાના શ્રવણ બાદ આરતી કર્યા વિના પૂજન અધૂરું ગણાય છે.

દશામાની આરતીનું શું છે ધાર્મિક મહત્વ?

દશામાની આરતી માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ ભક્તોના હૃદયની સાચી આરાધના છે. નિયમિતપણે માતાજીની આરતી કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે. આ પવિત્ર દિવસો દરમિયાન રાજ્યભરના મંદિરો અને ઘરોમાં દશામાના જયઘોષ તથા આરતીના નાદથી ભક્તિમય માહોલ સર્જાય છે.

આરતી કરવાથી ભક્તોને શો લાભ થાય છે?

દશામાની દિવ્ય આરતી ગાવાથી અને સાંભળવાથી ભક્તોને આત્મિક શાંતિ તથા માનસિક સ્થિરતા પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધાળુઓ 10 દિવસનું વ્રત રાખે છે, તેમણે દરરોજ સવાર-સાંજ પૂજા અને વ્રત કથાના અંતે આરતી અવશ્ય કરવી જોઈએ. તેનાથી અંતરમાં આત્મશક્તિનો સંચાર થાય છે અને દશામાતાના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ચાર ચાર ધામની મા દશામાની આરતી | Char Char Dham Ni Maa Dasha Maa Ni Aarti in Gujarati

હો ચાર ચાર ધામની મા દશામાની આરતી,
હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

દશામાની આરતી દ્વારિકામા થાય છે,
એ માવલડીને મંદિરિયે આનંદ વર્તાય છે,
હે દર્શન પામીને ભક્તો ઘેલા ઘેલા થાય છે,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

દશામાની આરતી મીનાવાડા થાય છે,
ચોમેર અજવાળા અજવાળા પથરાય છે,
હે ભોળા સૌ ભક્તોના હૈયાં હરખાય છે,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

દશામાની આરતી કડી ગામે થાય છે,
ભક્તોને જોઈ માનું મુખડું મલકાય છે,
હે છલકે આનંદ સુખ, દુઃખ વિસરાય છે,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

દશામાની આરતી મોરાગઢે થાય છે,
ભેળા થઈ ભક્તો માના ગુણલા રે ગાય છે,
હે દુનિયા પર માવડીની શિવી મીઠી જાય છે,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

હે દુઃખડા નીવારતી ને સુખડા છલકાવતી,
ચાર ચાર ધામની મા દશામાની આરતી... (2)

દશામાની આરતી (ગુજરાતી) PDF Download | Dasha Maa Ni Aarti Gujarati PDF

તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને દશામાની આરતી PDF ફાઇલ (ગુજરાતીમાં) મફતમાં ડાઉનલોડ કરી શકો છો. આ PDF ને તમે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં સાચવી શકો છો અને ગમે ત્યારે આરતી વાંચી શકો છો.