Health Tips: સતત કલાકો સુધી બેસી રહો છો? શરીરને આ રીતે થઈ શકે છે નુકસાન, જાણો ક્યારે ચાલવું જરૂરી

સતત બેસી રહેવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન અને મેટાબોલિઝમ પર ખરાબ અસર પડે છે. જાણો NIH રિસર્ચ મુજબ દર 30-60 મિનિટે બ્રેક લેવાના ફાયદા અને હૃદય રોગથી બચવાના રસ્તા.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 12 Sep 2026 02:16 PM (IST)Updated: Sat, 12 Sep 2026 02:16 PM (IST)
why-stand-up-every-30-to-60-minutes-health-risks-of-prolonged-sitting

Health Tips: આજના સમયમાં ઓફિસનું કામ, અભ્યાસ, મોબાઈલ અને ટીવીના કારણે મોટાભાગના લોકો દિવસનો મોટો હિસ્સો બેસીને જ વિતાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીન (NIH)ના રિસર્ચ મુજબ, કસરત ન કરવા ઉપરાંત સતત કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જો તમે સતત બેસી રહો છો, તો હૃદય રોગ, ટાઈપ-2 ડાયાબિટીસ અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી જ નિષ્ણાતો દર 30 થી 60 મિનિટે થોડી વાર ઊભા થવાની અને ચાલવાની સલાહ આપે છે.

સતત બેસી રહેવાથી શરીરમાં શું થાય છે?

મેટાબોલિઝમ ધીમું પડવું

જ્યારે આપણે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહીએ છીએ, ત્યારે પગ અને શરીરનું મેટાબોલિઝમ સુસ્ત થઈ જાય છે. શારીરિક પ્રવૃત્તિના અભાવે શરીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે.

હૃદય રોગનું જોખમ

બેસી રહેવાથી બ્લડ સર્ક્યુલેશન પર નકારાત્મક અસર પડે છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં હૃદય રોગ થવાનું જોખમ બમણું કરી દે છે.

બ્લડ સુગરના સ્તરમાં ફેરફાર

રિસર્ચ દર્શાવે છે કે સતત બેસી રહેવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે, જેનાથી બ્લડ સુગર કંટ્રોલ બહાર થઈ જાય છે અને વજન પણ વધવા લાગે છે.

પગમાં બ્લડ સર્ક્યુલેશન ઘટવું

સતત 4 કલાક સુધી બેસી રહેવાથી પગની 'સુપરફિશિયલ ફેમોરલ આર્ટરી'માં લોહીનો પ્રવાહ ઘટી જાય છે. જ્યારે વચ્ચે બ્રેક લેનારા લોકોમાં બ્લડ પ્રેશર અને રક્ત પરિભ્રમણ જળવાઈ રહે છે.

દર કેટલી મિનિટે ચાલવું જોઈએ?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, દર 30 થી 60 મિનિટના અંતરાલે 2 થી 3 મિનિટનો બ્રેક લેવો ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમે નીચે મુજબની સરળ ટેવો અપનાવી શકો છો:

  • પાણી કે ચાઈ પીવા માટે સીટ પરથી ઊભા થાઓ.
  • ઓફિસમાં સહકર્મી સાથે વાત કરવા માટે ફોન કરવાને બદલે ચાલીને તેમની પાસે જાઓ.
  • કામ કરતી વખતે વચ્ચે 2 મિનિટ સ્ટ્રેચિંગ કરો.

લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાની આદત બદલીને દર અડધા કલાકે નાનો બ્રેક લેવાથી તમે હૃદય રોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી ગંભીર સમસ્યાઓથી પોતાને બચાવી શકો છો.

Disclaimer: આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ આરોગ્ય સંબંધિત સમસ્યા અથવા જીવનશૈલીમાં ફેરફાર કરતા પહેલાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.