ઘણી વાર વધેલી રોટલી અથવા આળસના કારણે લોકો વાસી રોટલીનું સેવન કરે છે. વાસી રોટલીનું વધુ સેવન તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
ગરમીમાં વધુ વાસી રોટલના સેવનથી ઉલટી આવવાનં જોખમ રહે છે. રોટલીને વધુ સમય સુધી રાખવાથી બેક્ટેરિયા થવા લાગે છે.
આયુર્વેદ પ્રમાણે ખાવાનું બનવાના 2થી 3 કલાકમાં ખાઇ લેવું જોઇએ. રોટલીને વધુ સમય સુધી રાખવાથી તેના પોષકતત્ત્વો ખતમ થઇ જાય છે, જે પોષણની ઉપણનું કારણ બને છે.
વાસી રોટલીનું વધુ સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગનં જોખમ વધી શકે છે. ગરમીમાં વધુ વાસી રોટલીનું સેવન કરવાથી બચવું જોઇએ.
વાસી રોટલી જ્યારે ઠંડી પડે છે ત્યારે તેમાં રેહલા બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. આ કારણે વાસી રોટલીનું સેવન ના કરવું જોઇએ.
વાસી રોટલી પચવામાં ઘણો સમય લાગે છે. વધુ સમય સુધી રોટલી રાખ્યા બાદ ખાવાથી તમારું પાચન ખરાબ થઇ શકે છે.
વાસી રોટલીમાં બેક્ટેરિયા રહેલા હોય છે, જે શ્વાસને લગતી સમસ્યાનું કારણ બની શકે છે. વાસી રોટલી ખાવાથી મોં, ગળુ અને નાકમાં ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે.