શનિદેવને હનુમાનજીના બળ અંગેના ગુણગાન પસંદ આવ્યા નહીં અને તેમણે હનુમાનજીને યુદ્ધ માટે લલકાર્યાં
જ્યારે શનિદેવ યુદ્ધ મટે હનુમાનજી પાસે પહોંચ્યા તો તેઓ તે સમયે ભગવાન રામની ભક્તિમાં લીન હતા.
હનુમાનજીએ શનિદેવને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે તેઓ અત્યારે યુદ્ધ કરી શકે તેમ નથી, પણ શનિદેવ માન્યા નહીં.
ત્યારબાદ યુદ્ધમાં શનિદેવ ખૂબ જ ઈજાગ્રસ્ત થઈ ગયા અને પીડાવા લાગ્યા.
શનિદેવની પીડા જોઈ હનુમાનજીએ તેમને સરસવનુ તેલ લગાવ્યું. ત્યારબાદ શનિદેવન રાહત મળી. આમ ત્યારબાદ શનિદેવ પર સરસવનું તેલ લગાવવાની પરંપરા છે.