World Lion Day 2024: 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે


By Vanraj Dabhi10, Aug 2024 11:13 AMgujaratijagran.com

10 ઓગસ્ટ

સિંહની વસ્તી બચાવવા માટે એક જ બેનર હેઠળ નેશનલ જિયોગ્રાફિક અને બિગ કેટ ઇનિશિયેટિવ બંનેના પ્રયાસોને એક કર્યા હોવાથી આ દિવસે વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે.

ઉજવણીની શરૂઆત

10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ છે.

કોણે સ્થાપના કરી

વિશ્વ સિંહ દિવસની સ્થાપના 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી

ઉજવણીનો હેતુ

આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે.

સિંહની સંખ્યાઓ કેમ ઓછી થઈ

વિશ્વમાં દાણચોરી અને ગેરકાયદેસર શિકારને કારણે સિંહની પ્રજાતિઓ અને સંખ્યાઓ લુપ્ત થઈ રહી છે.

ગુજરાતમાં સિંહનું રહેણાંક સ્થળ

ગુજરાતના જૂનાગઢનું ગીર જંગલ એશિયાટીક સિંહનું એકમાત્ર રહેણાંક સ્થળ છે.

ગુજરાતમાં કેટલા અને કઈ જગ્યાએ ટપકેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે, જાણો