નવરાત્રિમાં નવ માતાજીની પૂજા કેમ કરવામાં આવે છે?


By Dimpal Goyal19, Sep 2025 01:02 PMgujaratijagran.com

નવરાત્રી 2025

નવરાત્રી એ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવાનો ઉત્સવ છે. દરેક દિવસ એક અલગ સ્વરૂપને સમર્પિત છે.

પ્રથમ દિવસ - મા શૈલપુત્રી

પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે. તેઓ શક્તિ અને ધૈર્યનું પ્રતિક છે.

બીજો દિવસ - મા બ્રહ્મચારિણી

બીજા દિવસે મા બ્રહ્મચારિણીની આરાધના થાય છે. તેઓ તપ, સાધના અને જ્ઞાનનું પ્રતીક છે.

ત્રીજો દિવસ - મા ચંદ્રઘંટા

ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે. તેઓ શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ આપે છે.

ચોથો દિવસ - મા કુષ્માંડા

ચોથા દિવસે મા કુષ્માંડા આરાધ્ય છે. તેઓ સૃષ્ટિના સર્જક માનવામાં આવે છે.

પાંચમો દિવસ - મા સ્કંદમાતા

પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા થાય છે. તેઓ માતૃત્વ અને સંતાનની રક્ષા કરે છે.

છઠ્ઠો દિવસ - મા કાત્યાયની

છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા થાય છે. તેઓ દૈવી શક્તિ અને વિજયનું પ્રતિક છે.

સાતમો દિવસ - મા કાળરાત્રી

સાતમા દિવસે મા કાળરાત્રીની આરાધના થાય છે. તેઓ અંધકાર અને દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે.

આઠમો દિવસ - મા મહાગૌરી

આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા થાય છે. તેઓ શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપે છે.

નવમો દિવસ - મા સિદ્ધિદાત્રી

નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. તેઓ ભક્તોને જ્ઞાન, શક્તિ અને સિદ્ધિઓ આપે છે.

વાંચતા રહો

નવ દિવસની આ પૂજા દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે, જે ભક્તોને શક્તિ, જ્ઞાન, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

રીંગણનો ઓળો બનાવવાની સરળ રેસિપી 7 સ્ટેપમાં