સોનું એક મહત્વપૂર્ણ આભૂષણ છે, જે શરીરની શોભા વધારે છે. ધાર્મિક દૃષ્ટિએ વાત કરીએ તો સોનાનો સંબંધ ગુરુ બૃહસ્પતિ સાથે માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે આખરે કયા લોકોએ સોનું ન પહેરવું જોઈએ.
મકર રાશિના જાતકો માટે પણ સોનું પહેરવું શુભ માનવામાં આવતું નથી. તેનાથી તેમની નિર્ણય શક્તિ પર નકારાત્મક અસર પડી શકે છે અને બનતા કામ બગડી શકે છે.
હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર જો તમે લોખંડનું કામ કરતા હો, તો તમારે સોનું ન પહેરવું જોઈએ. કારણ કે તેનાથી તમારા કામ પર ખરાબ અસર પડી શકે છે.
વૃષભ રાશિના જાતકોએ સોનું પહેરવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી તેમના ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થઈ શકે છે અને સકારાત્મક ઊર્જાનો નાશ થઈ શકે છે.
જો તમારી કુંડળીમાં ગુરુ બૃહસ્પતિની સ્થિતિ ખરાબ ચાલી રહી હોય તો તમારે સોનું પહેરતા પહેલા બે વાર વિચારવું જોઈએ. તેનાથી તમારી પ્રગતિ અટકી શકે છે.
જે લોકોનો મૂળાંક 8 હોય છે, તે લોકોએ ભૂલથી પણ સોનું ન પહેરવું જોઈએ. તેનાથી મૂળાંક 8 વાળા લોકોને ભયંકર આર્થિક નુકસાન થઈ શકે છે.
કુંભ રાશિના જાતકોએ પણ સોનું ન પહેરવું જોઈએ. તેનાથી તેમના સંબંધોમાં કડવાશ આવી શકે છે. સારા દિવસોનો અંત આવી શકે છે. ધનની તિજોરી પણ ખાલી થઈ શકે છે.