લવિંગ શરીર માટે ફાયદેમંદ હોય છે. કેટલાક એવા લોકો પણ હોય છે, જેમણે લવિંગનું સેવન ના કરવું જોઈએ. તો ચાલો જાણીએ લવિંગનું સેવન કરવાથી શું નુક્સાન થઈ શકે છે.
લવિંગમાં એન્ટી ઑક્સીડેન્ટ્સ, એન્ટી બેક્ટેરિયાલ અને મિનરલ્સ મળી આવે છે. જે અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે, પરંતુ તેને ખાવાતી અનેક પ્રકારના નુક્સાન પણ થઈ શકે છે.
લવિંગનું વધારે પડતું સેવન કરવાથી શરીરને નુક્સાન થાય છે. જેનાથી આંખમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. લવિંગનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું જોઈએ.
પૂરતા પ્રમાણમાં લવિંગનું સેવન કરવું પેટ માટે ફાયદેમંદ હોય છે, પરંતુ તેનું વધારે પડતું સેવન કરવાથી પાચન તંત્ર ખરાબ થઈ શકે છે.
જો તમને હીમોફીલિયાની બીમારી હોય, તો વધારે પ્રમાણમાં લવિંગનું સેવન ના કરવું જોઈએ, કારણ કે તેનાથી લોહી પાતળું થવા લાગે છે.
ગર્ભવતી મહિલાઓએ લવિંગનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ, કારણ કે લવિંગની તાસીર ગરમ હોય છે. જેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી બ્લીડિંગ થવાનો ખતરો રહે છે.
સેન્સેટિવ બૉડી વાળાએ વધારે પ્રમાણમાં લવિંગનું સેવન ના કરવું જોઈએ. જેનાથી એલર્જી વધવાનો ખતરો રહે છે.
લવિંગનું વધારે સેવન કરવાથી ઝડપથી બ્લડ સુગર ઘટી શકે છે. ડાયાબિટીશના દર્દીઓએ ડોક્ટરની સલાહ લઈને જ લવિંગ ખાવા જોઈએ.