વધારે પડતા લવિંગ ખાવાથી થતા નુક્સાન જાણીને ચોંકશો તમે, આવા લોકો ખાવાનું ટાળે


By Sanket M Parekh05, Sep 2023 04:15 PMgujaratijagran.com

લવિંગ

લવિંગ શરીર માટે ફાયદેમંદ હોય છે. કેટલાક એવા લોકો પણ હોય છે, જેમણે લવિંગનું સેવન ના કરવું જોઈએ. તો ચાલો જાણીએ લવિંગનું સેવન કરવાથી શું નુક્સાન થઈ શકે છે.

પૌષ્ટિક તત્વો

લવિંગમાં એન્ટી ઑક્સીડેન્ટ્સ, એન્ટી બેક્ટેરિયાલ અને મિનરલ્સ મળી આવે છે. જે અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે, પરંતુ તેને ખાવાતી અનેક પ્રકારના નુક્સાન પણ થઈ શકે છે.

આંખોમાં બળતરા

લવિંગનું વધારે પડતું સેવન કરવાથી શરીરને નુક્સાન થાય છે. જેનાથી આંખમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. લવિંગનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું જોઈએ.

પાચન

પૂરતા પ્રમાણમાં લવિંગનું સેવન કરવું પેટ માટે ફાયદેમંદ હોય છે, પરંતુ તેનું વધારે પડતું સેવન કરવાથી પાચન તંત્ર ખરાબ થઈ શકે છે.

લોહી પાતળું થવું

જો તમને હીમોફીલિયાની બીમારી હોય, તો વધારે પ્રમાણમાં લવિંગનું સેવન ના કરવું જોઈએ, કારણ કે તેનાથી લોહી પાતળું થવા લાગે છે.

ગર્ભવતી મહિલા

ગર્ભવતી મહિલાઓએ લવિંગનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ, કારણ કે લવિંગની તાસીર ગરમ હોય છે. જેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી બ્લીડિંગ થવાનો ખતરો રહે છે.

એલર્જીની સમસ્યા

સેન્સેટિવ બૉડી વાળાએ વધારે પ્રમાણમાં લવિંગનું સેવન ના કરવું જોઈએ. જેનાથી એલર્જી વધવાનો ખતરો રહે છે.

બ્લડ સુગર

લવિંગનું વધારે સેવન કરવાથી ઝડપથી બ્લડ સુગર ઘટી શકે છે. ડાયાબિટીશના દર્દીઓએ ડોક્ટરની સલાહ લઈને જ લવિંગ ખાવા જોઈએ.

અંજીરનું પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા, આ રીતે સેવન કરો