વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે શું ખાવું?


By Vanraj Dabhi07, Jul 2025 06:39 PMgujaratijagran.com

વિટામિન E

વિટામિન E પણ સ્વાસ્થ્ય માટે એક આવશ્યક તત્વ છે. શરીરમાં વિટામિન Eની ઉણપથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

લક્ષણો

વિટામિન Eની ઉણપથી હાથ-પગમાં ઝણઝણાટ, સ્નાયુઓની નબળાઈ, થાક, આંખની સમસ્યાઓ વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે.

ડ્રાયફ્રૂ્ટસ ખાઓ

બદામ, અખરોટ, મગફળી વગેરે જેવા ડ્રાયફ્રૂ્ટસ તમારા આહારમાં શામેલ કરવા જોઈએ. તેમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે.

બીજ ખાઓ

આહારમાં કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, શણના બીજ વગેરે જેવા કેટલાક બીજનો સમાવેશ કરો. આને વિટામિન Eના સારા સ્ત્રોત માનવામાં આવે છે.

તેલ

સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ અને ઓલિવ તેલ જેવા સ્વસ્થ તેલ વિટામિન ઇથી ભરપૂર હોય છે. તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

બ્રોકોલી

બ્રોકોલી એક પ્રકારની કોબી છે, પરંતુ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેના કરતા ઘણી સારી છે. તેમાં વિટામિન ઇ પણ હોય છે. તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

સૅલ્મોન માછલી

જો તમે નોન-વેજ ખાઓ છો, તો સૅલ્મોન માછલી ચોક્કસ ખાઓ. તેમાં વિટામિન ઇ સૌથી વધુ માત્રામાં જોવા મળે છે.

ઈંડા ખાઓ

આખા અનાજ અને ઈંડા પણ વિટામિન Eથી ભરપૂર હોય છે. તમે આનો પણ તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.

અન્ય વસ્તુઓ

આ ઉપરાંત તમે પાલક, એવોકાડો, લાલ કેપ્સિકમ, સલગમ, બીટરૂટના પાન, કોળું, એવોકાડો, કીવી, પપૈયા વગેરેનું સેવન કરવું જોઈએ.

1 મહિના સુધી મધમાં પલાળેલું લસણ ખાવાથી થશે આ ફાયદા