આંખોમાં દુખાવો થાય ત્યારે શું કરવું


By Hariom Sharma06, Sep 2023 07:21 PMgujaratijagran.com

ખરાબ લાઇફ સ્ટાઇલ અને સ્ક્રીન ટાઇમનો વધુ ઉપયોગના કારણે આંખોમાં દુખાવો થાય છે. આંખોમાં દુખાવાના કારણે રોજના કામમાં આપણે ખૂબ જ મુશ્કેલી અનુભવીએ છીએ. આ સરળ ઉપાય દ્વારા આંખોના દુખાવાથી છુટકારો મેળવો.

ગુલાબ જળ

સતત મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ કરવાથી તમારી આંખોમાં શુષ્કતાની સમસ્યા આવી શકે છે. આંખોમાં દુખાવો થાય ત્યારે ગુલાબ જળન 1-2 ટીપા નાખી શકો છો.

ટી બેગ

ટી બેગની મદદથી પણ આંખોના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. આ માટે ટી બેગને ફ્રિજમાં ઠંડી થવા માટે રાખી મૂકો.ઠંડી થયા બાદ ટી બેગને તમારી આંખો પર મૂકો.

બટાકા

બટાકાના બે ટૂકડા કરીને તમારી આંખો પર મૂકો અથવા તેનો રસ કાઢીને 1-2 ટીપા તમારી આંખમાં નાખો. બટાકાની મદદથી આંખોના બળતરા અને દુખાવામાં રાહત મળશે.

તુલસી

આંખોના દુખાવાથી છુટકારો મેળવવા માટે તુલસીના પત્તા તમારા માટે ફાયદાકારક બની શકે છે. ચોખ્ખા પાણીમાં તુલસીના પત્તા 8થી 9 કલાક માટે પલાળીને રાખો, ત્યાર બાદ આ પાણીથી આંખોને સાફ કરો.

કાકડી

કાકડીની ઠંડી તાસીર તમારી આંખોના દુખાવામાં રાહત આપી શકે છે. આ માટે કાકડીના બે કટકા કરીને તમારી આંખો પર મૂકી રાખવાથી દુખાવો અને બળતરાની સમસ્યામાં ઘટાડો થશે.

મધ

ઐષધીય ગુણોથી ભરપૂર મધ તમારી આંખોનો દુખાવો ઘટાડી શકે છે. આ માટે ફક્ત મધનું એક ટીપું તમારી આંખોમાં નાખો. આ કરવા પર આંખમાં થોડા બળતરા થશે પરંતુ દુખાવાથી રાહત પણ મળશે.

સ્કિન પર લગાવો ચોખાનું પાણી, મળશે ઘણા ફાયદા