ચોખાના પાણીનો ઉપયોગ કરીને તમે ચહેરાને સ્વસ્થ રાખી શકો છો. જો તમારે નેચરલ ગ્લો વધારવો હોય તો ચહેરા પર ચોખાનું પાણી લગાવો.
- વિટામિન ઇ - વિટામિન બી - એન્ટિઓક્સિડેન્ટ્સ - ફેરુલિક એસિડ - સોડિયમ લોરિયલ સલ્ફેટ
તડકામાં વધુ સમય રહેવાથી તમને સનબર્નની સમસ્યા થઇ ગઇ છે તો ચોખાનું પાણી લગાવો. જો તમારે તડકામાં બહાર જવાનું થાય છે તો ચોખાનું પાણી લગાવી શકો છો, આનાથી ત્વચાને ઠંડક મળશે.
ચહેરાની સુંદરતા વધારવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં ચોખાને એક કલાક સુધી પલાળીને રાખો, ત્યાર બાદ આ પાણીથી ચહેરા ધોવો.
ચહેરાની અશુદ્ધિઓ દૂર કરવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આનાથી ચહેરાને ડીપ ક્લિન કરવા માટે કોટનની મદદથી ચોખાના પાણીને લગાવો, સૂકાયા બાદ ચહેરાને ધોઇ લો.
ચહેરાના ખુલ્લા પોર્સને નાના કરવા માગો છો તો ચોખાનું પાણી લગાવો. પોષકતત્ત્વોથી ભરપૂર ચોખાનું પાણી રોમ છિંદ્રો નાના કરવામાં મદદ કરે છે. આ માટે ચહેરા પર ઠંડુ ચોખાનું પાણી લગાવો.
ચોખા ઉકાળ્યા બાદ તે પાણીને ચહેરા પર લગાવવાથી બળતરા અને ખંજવાળ દૂર થાય છે. વિટામિન ઇથી ભરપૂર ચોખાનું પાણી સ્કિનની બળતરામાંથી છુટકારો અપાવે છે.