શિયાળામાં પગના સોજા ઓછા કરવા માટે અપનાવો આ ટિપ્સ, આરામ મળશે


By Sanket M Parekh15, Nov 2023 04:09 PMgujaratijagran.com

પગમાં સોજા

શિયાળાની સિઝનમાં અનેક લોકોને પગમાં સોજા થવા લાગે છે. તો ચાલો જાણીએ, સોજા ઓછા કરવા માટે તમારે કઈ ટિપ્સ અજમાવવી જોઈએ.

પોષણની કમી

અનેક વખત શરીરમાં પોષણની કમી થવા પર પગમાં સોજા થવા લાગે છે. આ ઉપરાંત ખોરાકમાં બેદરકારીના પગલે પણ આવું થઈ શકે છે.

અન્ય બીમારી

અનેક વખત જોઈ શકાય છે કે, શરીરમાં કિડની, હાર્ટ અને લીવર સાથે સંકળાયેલી બીમારી થવાના કારણે પણ પગમાં સોજા થવા લાગે છે.

લસણની કળી

પગમાં સોજા ઓછા કરવા માટે લસણની 3-4 કળી લઈને તેને ઓલિવ ઓઈલમાં શેકી લો. જે બાદ આ તેલથી દિવસમાં 3 વખત માલિશ કરવાથી સોજા ઓછા થવા લાગશે.

You may also like

એસિડિટીનો રામબાણ ઈલાજ છે આ ઘરેલુ નુસખા, એક વખત ટ્રાય કરો; તરત જ રાહત મળશે

મજબૂત પાચન માટે આ 5 આદતોથી કરો દિવસની શરૂઆત, નહીં થાય અપચો અને કબજિયાત જેવી સમસ્

એપલ વિનેગાર

એક ડોલ ગરમ પાણીમાં એપલ વિનેગાર નાંખીને પછી તે પાણીમાં ટુવાલ નાંખીને આંગળી પર રાખવાથી સોજા ઓછા થવા લાગે છે.

સિંધાલૂણ

દરરોજ ગરમ પાણીમાં સિંધાલૂણ નાંખીને તે પાણીથી પગ ધોવા જોઈએ. આમ કરવાથી પણ સોજામાં આરામ મળશે.

જંકફૂડ ખાવાનું ટાળો

પગમાં સોજા થવા પર જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ. જો તમે જંકફૂડ ખાતા હશો, તો સોજા વધી શકે છે.

શિયાળામાં ખૂબ જ ફાયદેમંદ છે આ ડ્રાય ફ્રૂટ્સ