ગણેશ ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે, જાણો સમગ્ર ઇતિહાસ


By Vanraj Dabhi16, Sep 2023 12:59 PMgujaratijagran.com

જાણો

દેશભરમાં દર વર્ષે 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન ગણપતિ બાપ્પાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે, આ તકે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશ ચતુર્થી શા માટે ઉજવવામાં આવે છે?, ચાલો આ વિશે વિગવાર જાણીએ.

ગણેશજીનો જન્મ

પૌરાણિક કથાઓ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશનો જન્મ થયો હતો.

10 દિવસનો તહેવાર

આ જ કારણ છે કે 10 દિવસ લાંભો ગમેશ ઉત્સવ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે.

મહાભારતનું લેખન

માન્યતાઓ અનુસાર મહાભારતનું લેખન કાર્ય આ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થયું હતું.

વ્યાસજીએ પ્રાર્થના કરી હતી

કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન ગમેશને મહાભારત લખવા માટે વિંનંતી કરી હતી.

ગણેશજીએ શરૂઆત કરી

આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે જ વ્યાસજીએ શ્લોકનો પાઠ કરવાનું શરૂ કર્યું અને ગણપતિ બાપ્પાએ તેને લખવાનું શરૂ કર્યું.

ધૂળ અને માટીનું સ્તર

ભગવાન ગણેશએ 10 દિવસ સુધી સતત અટક્યા વિના મહાભારતને લખ્યું હતું. આ દરમિયાન ગણપતિજી પર ધૂળ અને માટીનો એક થર જામી ગયો હતો.

સરસ્વતી નદીમાં સ્નાસ

ધૂળ અને માટીના સ્તરને સાફ કરવા માટે ભગવાન ગણેશ 10માં દિવસે સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા, આ દિવસે ચતુર્થીનો તહેવાર હતો, ત્યારથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

વાંચતા રહો

આ વર્ષે ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રેસ્ટોરન્ટ જેવો જ કોર્ન સૂપ ઘરે કેવી રીતે બનાવવો, જાણો સરળ રીત