બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક પ્રખ્યાત કથાકાર છે. તેમની લોકપ્રિયતા એટલી બધી છે કે તેમની એક ઝલક જોવા માટે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જાય છે.
આજે આપણે જાણીશું કે, બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી એક કથા માટે કેટલી ફી લે છે.
જોકે ધીરેન્દ્ર શાસ્ત્રીની ફી અંગે ઘણા દાવા કરવામાં આવ્યા છે. પરંતુ અહેવાલો અનુસાર, બાગેશ્વર બાબા એક કથા માટે 3 લાખથી 3.5 લાખ રૂપિયા લે છે.
જોકે, તેમની ફી કેટલી છે તેની પુષ્ટિ થઈ શકતી નથી, કારણ કે સામાન્ય લોકોથી લઈને VIP લોકો સુધીના લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળવા માટે આવતા હોય છે.
અહેવાલો અનુસાર, બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 10 થી 15 દિવસમાં એક કથા સંભળાવે છે અને તેઓ એક મહિનામાં લગભગ ત્રણ થી ચાર કથા કરે છે.
કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બાગેશ્વર બાબા 3 લાખથી વધુ ફી લે છે. પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી.