પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં ઘીનું મહત્વનું સ્થાન રહ્યું છે, સૌથી વધુ ઘીનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં અનેે ઘણી વાનગી બનાવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતના ઘરોમાં રોટલી પર પણ ઘી ચોપડીને પણ ખૂબ ખાવામાં આવે છે, જો તમારા ઘરે પણ ઘીવાળી રોટલી ખાવામાં આવતી હોય તો આવો તે ખાવાના ફાયદા વિશે પણ જાણી લઈએ.
ઘી સાથે રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જે પરિણામે તમને વજન ઓછું કરવામાં મદદ કરે છે
જો તમેને ડાયાબિટીસ હોય તો તમારે રોટલી પર ઘી લગાવીને ખાવું જોઈએ, રોટલી પર ઘી લગાવવાથી તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચે આવે છે અને તે તંદુરસ્ત કોલેસ્ટ્રોલ વધારે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે
ધીનુ સેવન પાચન માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે, ઘી સાથે નરમ રોટલી ખાવાથી આંતરડાની તંદુરસ્તી સારી રહે છે.
પોષક તત્ત્વો અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર, ઘી મગજ, હાડકાં અને નર્વસ સિસ્ટમની કાર્યક્ષમતા વધારે છે અને મગજની સ્વાસ્થ્ય જાળવી રાખે છે
પોષક તત્ત્વો અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર, ઘી મગજ, હાડકાં અને નર્વસ સિસ્ટમની કાર્યક્ષમતા વધારે છે અને મગજની સ્વાસ્થ્ય જાળવી રાખે છે
ઘીવાળી રોટલી ગ્લાયકેમિક લોડ (GL) ઘટાડવામાં મદદ કરે છે, તેથી સતત ઊર્જા પૂરી પાડે છે.
ઘી બ્યુટીરિક એસિડથી સમૃદ્ધ છે અને શરીરને રોગ સામે લડવામાં મદદ કરે છે. ઘી સાથે રોટલી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.
રોટલીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. રોજ ઘી વાળી રોટલી ખાવાથી કબજીયાતમાં રાહત મળે છે