વાસ્તુશાસ્ત્રમાં કેટલીક બાબતોને શુભ અને અશુભ બંને માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, અશુભ બાબતો વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવા ઘણા સંકેતોનો ઉલ્લેખ છે, જે ખરાબ સમય આવે તે પહેલા તમને ચેતવણી આપે છે. જો તમે આ સંકેતોને યોગ્ય સમયે સમજી લો, તો તમે દુર્ઘટનાઓથી બચી શકો છો.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો રાત્રે કે સાંજે કૂતરાના રડવાનો અવાજ સંભળાય છે, તો તે કંઈક ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.
જો દૂધ હાથમાંથી વારંવાર જમીન પર ઢોળાય છે, તો તેને ઘરમાં કકળાટ અથવા મુશ્કેલીનો સંકેત માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, જો તમારા સોના-ચાંદીના દાગીના ખોવાઈ જાય, તો તે કોઈ મોટી આફત આવવાની નિશાની હોઈ શકે છે.
પુરુષોની ડાબી આંખ અને સ્ત્રીઓની જમણી આંખ ફરકવી અશુભ માનવામાં આવે છે. આ કોઈ અનિચ્છનીય ઘટનાનો સંકેત હોઈ શકે છે.